ભરૂચ : સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા ભવ્ય સંગીત કાર્યક્રમ સ્વર યાત્રાનું આયોજન કરાયું

સંગીત સંધ્યા સ્વર યાત્રાનું કરાયું આયોજન, શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસારનો પ્રયાસ, શાસ્ત્રીય સંગીતના કલાકારોએ કરી સુંદર પ્રસ્તુતિ, સંગીત પ્રેમીઓ થયા મંત્રમુગ્ધ.

New Update

ભરૂચના રોટરી હોલ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા કલાકાર રવિન નાયક અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગ-દારી સંગીતની પ્રસ્તુતિ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

ભરૂચના આકાર સુરતી અને ડો.પલક કાપડિયા સ્થાપિત સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન, એક પ્રતિષ્ઠિત સંસ્થા છે, જે ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસાર માટે અવિરત પ્રયાસ કરી રહી છે.યુવા કલાકારોને એક મંચ પ્રદાન કરવા, સંગીત સભાઓ, વર્કશોપ અને સ્પર્ધાઓના આયોજન  કરવા અને અનમોલ સંગીત વારસાને જાળવી રાખવા માટે સક્રિય છે.જે અંતર્ગત ભરૂચના રોટરી હોલ ખાતે વિશિષ્ટ સંગીત સંધ્યા સ્વર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા ખ્યાતનામ ગાયક અને સંગીતકાર રવિન નાયક ગુજરાતી સુગમ સંગીત અને ભારતના પ્રખ્યાત હાર્મોનિયમ વાદક તન્મય દેવચકે રાગ-દારી સંગીતની પ્રસ્તુતિ કરી ઉપસ્થિત સંગીત રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

જેમાં તેઓની સાથે તબલા પર હાર્દિક પટેલ, ઢોલક પર દક્ષેશ પટેલ,વાયોલીન પર મહેન્દ્ર પટેલ,ગિટાર પર રમેશ તેલંગ તેમજ કી બોર્ડ પર જિનેશ શાહ, સુગમ સંગીતમાં સંગત કરી હતી.તો સોલો હાર્મોનિયમમાં તન્મય  દેઓચકે સાથે તબલા પર સોહમ ગોરાને અને કી પર અથર્વ કુલકર્ણીએ સંગત કરી સમગ્ર માહોલને  સંગીતમય કરી મૂક્યો હતો.

Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • વાલ્મિકી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • વૃદ્ધને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ

  • વૃદ્ધનું મકાન તોડી પાડી દીકરીને માર મરાયો

ભરૂચના વાલ્મિકી સમાજ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના વૃદ્ધને કેટલાક શખ્સો હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી 
ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.