ભરૂચ : પૌરાણિક શહેરની હેરિટેજ ઇમારતોની તંત્રની ઉદાસીનતાને કારણે થઇ ખસ્તા હાલત

ડચ ફેમિલીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એમને એમની કોઈ ખાસ જગ્યાએ દફનાવવામાં આવતા અને ત્યાં તેમના ખાસ Dutch Cemetery કે પાર્ક બનાવી તેમની કબરો બનાવવામાં આવતી અને આ એક ઐતિહાસિક હિસ્ટ્રી છે.

author-image
By Connect Gujarat Desk
New Update

કાશી પછીનું પૌરાણિક નગર એટલે ભરૂચ, 22 જેટલી હેરિટેજ ઇમારતો પૌરાણિકતાની પુરે છે સાક્ષી. 

કાશી પછીનું શહેર એટલે ભરૂચઅહીં 22 જેટલી હેરિટેજ ઇમારતો આવેલી છે.જેમાં કેટલીક 200 વર્ષ કરતા પણ જૂની જોવા મળે છેપરંતુ હવે એના ખસ્તા હાલ છે, તંત્રની ઉદાસીનતાને કારણે હવે  આ ઇમારતો ખંડેર સમાન ભાસી રહી છે.

ભરૂચ એક ઐતિહાસિક નગર છે, અને કાશી પછીનું બીજું આ પૌરાણિક શહેર છે, ભરૂચમાં આવેલ ફુરજા બંદર ભારતનું એક મુખ્ય બંદર હતુંઅહીંથી કપાસ અને મરી મસાલાનો મુખ્ય વ્યાપાર થતો હતો. વ્યાપારના કારણે અંગ્રેજોનું ડચ સામ્રાજ્યએની સમૃદ્ધિ માટે ઓળખાતું હતું.જ્યારે જાણીતી ડચ ફેમિલીમાં કોઈ મૃત્યુ પામે ત્યારે એમને એમની કોઈ ખાસ જગ્યાએ દફનાવવામાં આવતા અને ત્યાં તેમના ખાસ Dutch Cemetery કે પાર્ક બનાવી તેમની કબરો બનાવવામાં આવતી અને આ એક ઐતિહાસિક હિસ્ટ્રી છે.

આ ડચ કબ્રસ્તાન (Dutch Cemetery) એના ઇતિહાસને પણ એમના સ્ટેચ્યુ પર કોતરેલા આજે પણ નજરમાં આવે છે. ભરૂચની આ ડચ કબ્રસ્તાન (Dutch Cemetery) જે એમની સમૃધ્ધિ બતાવી રહ્યું છે.તેની હવે તંત્ર તરફથી કોઈ કાળજી લેવામાં આવતી નથી અને જે પહેલા 22 જેટલી હતી, તે હવે માત્ર 4 થી 5 છે,અને ગંદકી અને ઝાડી ઝાંખરામાં છેતંત્ર આ વિશે તેનું ધ્યાન દોરી તેની કેળવણી કરે તેવી લોક માંગ ઉભી થઈ છે.

આ જ પ્રમાણે ભરૂચના ફુરજા વિસ્તારમાં યુદ્ધમાં ઘોડા સાથે મૃત્યુ પામનાર બ્રિટિશ ગવર્મેન્ટના બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની યાદમાં એક કબર બનાવવામાં આવી છે. જેમાં બ્રિટિશ બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની આગેવાનીમાં આવેલું લશ્કર ભરૂચના બંદરે પહોંચતા નવાબે કોટના દરવાજા બંધ કરાવી દીધા બાદ ફુરજા નજીકના ટેકરા પર આવેલા ટાવર પાસેના બુરજ પરથી પોતાના લશ્કર મારફતે તોપ ગોળાનો મારો શરૂ કરી દીધો હતો.

આ લડાઈમાં વેડનબર્નની આગેવાનીમાં અંગ્રેજ લશ્કર મારફતે તોપગોળાનો મારો શરૂ કરી કોટની લગોલગ આવી પહોંચ્યા હતા.આ સમયે નવાબના સૈનિકોઓ પણ કોટ પરથી એક તોપગોળો છોડતા જ તે ઘોડે સવાર બ્રિગેડીયર વેડનબર્ન પર પડતા જ તે ઘોડા સાથે જ મૃત્યુ પામ્યો હતો. આ યુદ્ધ આટલાથી જ નહીં અટકતા ફરી મુંબઈ બ્રિટિશ સરકારે નવા બ્રિગેડિયર સાથે આવીને લડવાનું જારી રાખ્યું હતુ.

જેમાં લેફ્ટનન્ટ કર્નલ ચોકબર્ન તથા બ્યુઅરની આગેવાનીમાં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો મેળવ્યો હતો.આ યુદ્ધમાં નવાબ મોજુજખાન હારી ગયા બાદ ભરૂચ છોડીને દેહવાણ મુકામે કોળી ઠાકોર રાજા જાલમસિંગને ત્યાં આશ્રય લીધો હતો. ત્યાં તે બીમાર પડતા 42 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

ભરૂચમાં અંગ્રેજોએ કબજો જમાવ્યા બાદ બ્રિગેડિયર ડેવિડ વેડનબર્નની યાદમાં અંગ્રેજ સરકારે ટાવર પાસે આવેલી સિવિલ હોસ્પિટલની બાજુમાંટેકરા પર તેની કબર બનાવડાવી તેના ઘોડા સાથે જ દફન કરાયો હતો. જેની પણ જાળવણી વગર ખસ્તા હાલત થઈ જવા પામી છે.

Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.