ભરૂચ : ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ

ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો પણ કર્યા

New Update

ઝાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી સુધીનો માર્ગ બિસ્માર

મુખ્ય માર્ગ બિસ્માર બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

20 વર્ષથી માર્ગ પર કામગીરી કરાય ન હોવાનો આક્ષેપ

વરસાદી મોસમમાં માત્ર ખાડા પૂરીને સંતોષ માણતું તંત્ર

બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવા સ્થાનિકોની માંગ

ભરૂચ શહેરના ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો સહિત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 20 વર્ષથી ભરૂચના ઝાડેશ્વર બસ સ્ટેશનથી નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.

વરસાદની મોસમમાં માત્ર ખાડા જ પૂરીને તંત્ર સંતોષ માણી રહ્યું છે. આ મુખ્ય માર્ગ ઉપર 15થી વધુ સોસાયટીઓ આવેલી છે. સ્થાનિક લોકોએ ઝાડેશ્વર ગ્રામ પંચાયતને માત્ર વેરા લેવામાં જ રસ હોવાના તેમજ સ્થાનિક લોકોની સુવિધામાં અને વ્યવસ્થા પૂરી પાડવામાં કોઈ જ પ્રકારનો રસ ન હોવાના આક્ષેપો પણ કર્યા હતા.

આ મુખ્ય માર્ગ ઉપર જ સ્વામિનારાયણ મંદિર આવ્યું છે. આ મંદિરે રોજ બરોજ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન અર્થે જતા હોય છેત્યારે વૃદ્ધ લોકો પણ આ રોડનો જ ઉપયોગ કરી મંદિરે દર્શન અર્થે પહોંચતા હોય છેત્યારે વહેલી તકે આ બિસ્માર માર્ગને સુવિધાસભર બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: વાલિયા ચાર રસ્તા પર 2 બાઈક સામ સામે ભટકાય, પત્નિનું મોત-પતિ સહિત 2 લોકોને ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

New Update
  • ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત

  • વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો

  • 2 બાઈક સામસામે ભટકાય

  • બાઈક સવાર પત્નીનું મોત

  • પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક  વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.