ભરૂચ: નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડ વાગતા ભેંસ ભડકતા ધીંગાણું, બે જૂથ વચ્ચે થયેલ મારામારીનો વિડીયો વાયરલ

ભરૂચના નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડના અવાજથી ભેંસો ભડકી ઉઠવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ૧૨ લોકોને ઈજાઓ પહોંચી જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

New Update
MixCollage-04-Mar-2025-09-25-AM-6648
ભરૂચના નવા તવરા ગામે વરઘોડામાં બેન્ડના અવાજથી ભેંસો ભડકી ઉઠવા મુદ્દે એક કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા ૧૨ લોકોને ઈજાઓ પહોંચી જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો.

Advertisment
ભરૂચના નવા તવરા ગામની નવી વસાહતમાં રહેતા સંજય સુનીલ વસાવાના દીકરાની બાબરીનો પ્રસંગ હોવાથી ગામમાં બેન્ડ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો તે દરમિયાન સાંજ ૪ કલાકે રોડ વાલા ફળિયામાં અશોકભાઈ પટેલના ઘર પાસે ભેંસો અચાનક ચમકી ભાગવા જતા ત્યાં મુકેલ ટાઈલ્સ તૂટી જતા તેઓ ઉશ્કેરાઈ જઈ જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો જે ઝઘડાનું ઉપરાણું લઇ મિતેશ ભીખા પટેલ,ચિરાગ પટેલ,મનીષ પટેલ અને અન્ય ૧૮થી વધુ લોકોએ સંજય ભાઈના સંબંધીઓ ઉપર હુમલો કર્યો હતો.
આ મારામારીમાં કુલ ૧૨ લોકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયારે મારામારી અંગે સી ડીવીઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધાઈ છે.જે ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો
Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment