ભરૂચ: સીઝનમાં બીજી વખત પુરનું સંકટ ટળ્યુ, તંત્ર અને લોકોએ અનુભવ્યો હાશકારો

ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો ટળ્યો, નર્મદા નદીની સપાટીમાં ઘટાડો. ડેમમાંથી પાણીની આવક ઓછી થઈ, નીચાણવાળા વિસ્તારના લોકોને રાહત, તંત્રએ પણ હાશકારો અનુભવ્યો.

New Update
ભરૂચના માથેથી ફરી એકવાર પૂરનું સંકટ ટળ્યું છે,સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક ઓછી થતા ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે.
ભરૂચવાસીઓના માથેથી સિઝનમાં બીજી વખત પૂરનું  સંકટ ટળ્યું છે.સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ડેમમાંથી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ હતી.જેના કારણે નદી 22 ફૂટની વોર્નિંગ લેવલની સપાટી સુધી પહોંચી ગઈ હતી. જોકે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા નદીમાં પણ પાણી ઓછું છોડવામાં આવી રહ્યું છે.
જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો થયો છે. નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 74,831 ક્યુસેક પાણીની આવક છે. જેની સામે 52 હજાર 917 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. બપોરના સમયે નર્મદા નદીનું જળસ્તર 17.38 ફૂટ નોંધાયું હતું.ભરૂચના માથેથી પૂર સંકટના વાદળો વિખેરાય જતાં વહીવટી તંત્ર સહિત નીચાણવાળા વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાંથી 2 દિવસમાં 15 રખડતા ઢોર પકડાયા, તંત્રની ઝુંબેશ યથાવત

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં તંત્રની ઝુંબેશ
રસ્તે રખડતા ઢોર પકડવા કાર્યવાહી
બે દિવસમાં 15 ઢોર પકડાયા
ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી
ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસહતના રહેણાંક વિસ્તારોમાં નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા બે દિવસથી રખડતા ઢોર પકડવાની શરૂ કરવામાં આવી છે ત્યારે 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વરસાદના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. રખડતા ઢોરના કારણે અકસ્માત સહિતના બનાવવામાં વધારો થયો હતો.આ અંગેની અનેક રજૂઆત નોટિફાઇડ એરીયા ઓથોરિટીને મળતા અંતે રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા શરૂ કરાયેલ ઝુંબેશમાં છેલ્લા 2 દિવસમાં 15 થી વધુ ઢોર પકડવામાં આવ્યા હતા. નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા અટલજી જોગર્સ પાર્ક, ગટટુ વિદ્યાલય સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાંથી રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.આ ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ રખડતા  ઢોર પકડવાની ઝુંબેશ યથાવત રહેશે તો સાથે જ ઢોરના માલિકો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.