ભરૂચ: SMCP સંસ્કાર વિદ્યાભવન ખાતે ત્રણ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું

પુસ્તક મેળામાં ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટસેલર, ફિકશન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો

New Update
Sanskar Vidya Bhavan
ભરૂચના સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવનમાં ત્રણ દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવૃત્તિ દરમિયાન ધોરણ 1 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટસેલર, ફિકશન, પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સમાંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો. વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા, જેનાથી વાચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી હતી.
Advertisment
Latest Stories