ભરૂચ: જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી માર મરાયો હોવાની પોલીસ ફરિયાદથી ખળભળાટ

ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના જંબુસરનો ચકચારી બનાવ

  • યુવતી પર આચરવામાં આવ્યુ દુષ્કર્મ

  • યુવતીને માર પણ મરાયો

  • પીડિતાને સારવાર અર્થે સુરત ખસેડાય

  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ભરૂચના જંબુસરના એક ગામમાં યુવતી પર દુષ્કર્મ આચરી તેને મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના જંબુસરમાં દુષ્કર્મના વધુ એક બનાવથી ચકચાર મચી જવા પામી છે. જંબુસરના એક ગામમાં યુવતી પર સફવાન નામના યુવકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીને તેની બહેનના ઘરની બહાર ફેંકી આરોપી ફરાર થઇ ગયો હતો. આ મામલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવતીને પ્રથમ સારવાર અર્થે જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જોકે યુવતીની હાલત વધુ ગંભીર જણાતા  તેને વધુ સારવાર અર્થે જંબુસરથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે આ મામલામાં યુવતીના પ્રેમી અને તેના ભાઈ સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. મામલાની તપાસ જંબુસર પોલીસ ચલાવી રહી છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.