ભરૂચ: “તિબેટ માટે સ્વતંત્રતા, ભારત માટે સુરક્ષા”ના સૂત્ર સાથે તિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત બાઈક રેલીનું કરાયું સ્વાગત

2024ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસેથી એક મહત્વપૂર્ણ બાઇક રેલીનો પ્રારંભ કર્યો હતો.આ રેલી ભારતના 19 રાજ્યોમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે

New Update
  • તિબેટમાં ચીનની સામ્યવાદી શાસનનો અત્યાચાર

  • તિબેટીયન યુથ કોંગ્રેસે યોજી બાઈક રેલી

  • બાઈક રેલી દ્વારા ચીનના મનસુબાનો કરાયો વિરોધ

  • તિબેટ માટે સ્વતંત્રતા,ભારત માટે સુરક્ષાનું આપ્યું સૂત્ર

  • તિબેટીયન સમાજે કર્યું બાઈક રેલીનું સ્વાગત 

Advertisment

 ભરૂચમાં વસતા તિબેટીયન સમાજ દ્વારા એક બાઈક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતુંતિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા તિબેટમાં ચીની સામ્યવાદી શાસનના અત્યાચારના વિરોધમાં આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

તિબેટીયન યુથ કોંગ્રેસે 22 નવેમ્બર2024ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસેથી એક મહત્વપૂર્ણ બાઇક રેલીનો પ્રારંભ કર્યો હતો.આ રેલી ભારતના 19 રાજ્યોમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે,જેનો મુખ્ય ઉદ્દેશ તિબેટમાં ચીની સામ્યવાદી શાસન દ્વારા થઈ રહેલા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાનો છે. આ બાઈક રેલી ભરૂચમાં આવી પહોંચતા તિબેટીયન સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું. 

આ રેલી દરમિયાન તેઓ સહભાગીઓ સંસદ સભ્યો,વિધાનસભા સભ્યો,તિબેટ સમર્થક જૂથો અને મીડિયા સાથે મુલાકાત કરશે.તેમનું મુખ્ય ધ્યેય તિબેટમાં થઈ રહેલા સાંસ્કૃતિક નરસંહાર તરફ આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોરવાનું છે.

ચીન તિબેટની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવા માટે કઠોર નીતિઓ અપનાવી રહ્યું છે,જેમાં તિબેટીયન બાળકોને બળજબરીથી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવાસાંસ્કૃતિક શિક્ષણ પર પ્રતિબંધો અને તિબેટીયન ભાષાના રક્ષકોની ધરપકડનો સમાવેશ થાય છે.

1959માં ચીન દ્વારા તિબેટના બળજબરીપૂર્વક જોડાણ બાદશાંતિપૂર્ણ ભારત-તિબેટ સરહદ પર પણ જોખમ ઊભું થયું છે. ચીનની વિસ્તારવાદી નીતિઓ ભારતની સરહદ સુરક્ષા માટે મોટો પડકાર બની છે. તિબેટીયન યુથ કોંગ્રેસ ભારત સરકારને તિબેટની ઐતિહાસિક સ્વતંત્રતાને સમર્થન આપવા અને ભારત-તિબેટ સરહદને માન્યતા આપતો ઠરાવ પસાર કરવા આહવાન કરે છે.અને તે માટે એક સૂત્ર પણ આપ્યું છે કે "તિબેટ માટે સ્વતંત્રતાભારત માટે સુરક્ષા." 

આ બાઈક રેલી આજરોજ ભરૂચના તિબેટીયન માર્કેટ ખાતે આવી પહોંચતા તિબેટ રાજ્યના લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે તિબેટીયન યુથ કોંગ્રેસ પ્રમુખ ગોન્પો ધોડૂપે જણાવ્યુ હતુ કેઅમારી આ બાઇક યાત્રામાં મુખ્ય ત્રણ ઉદ્દેશ છે,જેમાં અમારા તિબેટીયન સંસ્કૃતિને ભૂંસી નાખવાના તેના ગેરકાયદેસર પ્રયાસોને રોકવા અને તિબેટીયન લોકોના તેમના સાંસ્કૃતિક વારસાને જાળવવાના અધિકારોનું સન્માન કરવા ચીન પર દબાણ કરી રહ્યા છે.

Advertisment

ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ભારતની લાંબા ગાળાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તિબેટની ઐતિહાસિક સ્વતંત્ર સ્થિતિને સમર્થન આપતો ઠરાવ અપનાવે.ચીન પર તિબેટના કુદરતી સંસાધનોનું શોષણ અટકાવવા દબાણ કરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment