ભરૂચ: આમોદમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું, તળાવની કામગીરીમાં નડતરરૂપ હતા દબાણ

આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં

New Update

ભરૂચની આમોદ નગર સેવા સદનની કામગીરી

દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી

તળાવની કામગીરીમાં નડતરરૂપ બાંધકામ દૂર કરાયા

કિન્નર સમાજનું મંદિર પણ તોડી પડાયું

આગામી દિવસોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે

ભરૂચના આમોદમાં તળાવના બ્યુટીફિકેશનને કામગીરીમાં નડતરરૂપ દબાણો નગર સેવા સદન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં જે તળાવની બ્યુટી ફિકેશનની કામગીરીમા નડતરરૂપ બનતા હતા.આ બાબતે આમોદ નગરપાલીકા દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટીસ આપી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા જાણ કરવામાં આવી હતી..
પરંતુ દબાણકર્તાઓએ  નોટિસને ધ્યાને નહી લેતાં આજ રોજ વહેલી સવારે આમોદ નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા કિન્નર સમાજના મંદિર પર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતુ કે આજ રોજ તળાવની કામગીરીના નડતરરૂપ દબાણો દુર કર્યા છે.ભવિષ્યમા આમોદ નગરનાં વિકાસના કાર્યોમાં નડતરરૂપ દબાણો પણ ફરિયાદ મળ્યેથી દુર કરવામાં આવશે
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.