ભરૂચ: આમોદમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું, તળાવની કામગીરીમાં નડતરરૂપ હતા દબાણ

આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં

New Update

ભરૂચની આમોદ નગર સેવા સદનની કામગીરી

દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી

તળાવની કામગીરીમાં નડતરરૂપ બાંધકામ દૂર કરાયા

કિન્નર સમાજનું મંદિર પણ તોડી પડાયું

આગામી દિવસોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે

ભરૂચના આમોદમાં તળાવના બ્યુટીફિકેશનને કામગીરીમાં નડતરરૂપ દબાણો નગર સેવા સદન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં જે તળાવની બ્યુટી ફિકેશનની કામગીરીમા નડતરરૂપ બનતા હતા.આ બાબતે આમોદ નગરપાલીકા દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટીસ આપી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા જાણ કરવામાં આવી હતી..
પરંતુ દબાણકર્તાઓએ  નોટિસને ધ્યાને નહી લેતાં આજ રોજ વહેલી સવારે આમોદ નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા કિન્નર સમાજના મંદિર પર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતુ કે આજ રોજ તળાવની કામગીરીના નડતરરૂપ દબાણો દુર કર્યા છે.ભવિષ્યમા આમોદ નગરનાં વિકાસના કાર્યોમાં નડતરરૂપ દબાણો પણ ફરિયાદ મળ્યેથી દુર કરવામાં આવશે
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.