New Update
ભરૂચની આમોદ નગર સેવા સદનની કામગીરી
દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી
તળાવની કામગીરીમાં નડતરરૂપ બાંધકામ દૂર કરાયા
કિન્નર સમાજનું મંદિર પણ તોડી પડાયું
આગામી દિવસોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે
ભરૂચના આમોદમાં તળાવના બ્યુટીફિકેશનને કામગીરીમાં નડતરરૂપ દબાણો નગર સેવા સદન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. જેના પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
ભરૂચના આમોદ મોટા તળાવ ખાતે ૬.૫૯ કરોડના ખર્ચે તળાવના બ્યુટી ફિકેશનનું કામ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તળાવ પર કેટલાક ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં આવ્યા હતાં જે તળાવની બ્યુટી ફિકેશનની કામગીરીમા નડતરરૂપ બનતા હતા.આ બાબતે આમોદ નગરપાલીકા દ્વારા દબાણકર્તાઓને વારંવાર નોટીસ આપી દબાણો સ્વેચ્છાએ દૂર કરવા જાણ કરવામાં આવી હતી..
પરંતુ દબાણકર્તાઓએ નોટિસને ધ્યાને નહી લેતાં આજ રોજ વહેલી સવારે આમોદ નગરપાલીકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.તંત્ર દ્વારા કિન્નર સમાજના મંદિર પર પણ બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જણાવ્યું હતુ કે આજ રોજ તળાવની કામગીરીના નડતરરૂપ દબાણો દુર કર્યા છે.ભવિષ્યમા આમોદ નગરનાં વિકાસના કાર્યોમાં નડતરરૂપ દબાણો પણ ફરિયાદ મળ્યેથી દુર કરવામાં આવશે