New Update
અંકલેશ્વરમાં આવેલી છે હોસ્પિટલ
જયાબહેન મોદી હોસ્પિટલનો વિવાદ
પરિવારજનોને વધુ બિલ અપાયાના આક્ષેપ
પરિવારજનોએ હોબાળો મચાવ્યો, હોસ્પિટલે આક્ષેપ નકાર્યા
અંક્લેશ્વર મીરાનગરના ગાયત્રીદેવીના કમરમાં દર્દને લઈ જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું કમરનું ઓપરેશન કરવામાંઆવ્યું હતું. સોમવારે રજા આપવાના સમયે 4 લાખ જેટલું અધધધબિલ આવતા પરિવારની આંખો ફાટીગઈ હતી. તેમના પુત્ર અભએ જણાવ્યું હતું કે મારી માતાના ઓપરેશન માટે આવ્યા હતા બે લાખ રૂપિયાનું વીમા ક્વરમાં ઓપરેશન થઇ જશે તેમ પૂછતાં તેઓએ હા પાડી હતી. રજા આપતી વેળા ચાર લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. બિલ ભરપાઈ કર્યા સિવાય રજા આપતાં નથી. કઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે.
જ્યાં સુધી મારી માતાને રજા ના આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે. હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટી સભ્ય ડો નિનાદ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે 2 લાખનું કમિટમેન્ટ આપ્યું નથી. તેમાં બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે. પરિવાર સાથે વાતચીત ચાલી રહી છે.
Latest Stories