ભરૂચ : નર્મદા કોલેજ સામે ભૂતમામાનું મંદિર તંત્રએ રાતોરાત હટાવી લેતા વિવાદ, વિધિવત પૂજા વગર કાર્યવાહી કરાય હોવાનો આક્ષેપ

ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ વર્ષો જૂના ભૂતમામા મંદિરને રૂ. 23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે.

New Update
  • નર્મદા કોલેજ સામે ભૂતમામાનું મંદિર હટાવાતા વિવાદ

  • R&B વિભાગ દ્વારા બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પડાયું

  • રાતોરાત મંદિર તોડી દેવાતા 25 ગામના લોકોમાં રોષ

  • વિધિવત પૂજા વગર કાર્યવાહી કરાય હોવાનો આક્ષેપ

  • અન્ય સ્થળે મંદિરની પુનઃ સ્થાપના કરવા લોકોની માંગ

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રસ્તા નવીનીકરણના કામ દરમિયાન વર્ષો જૂના ભૂતમામા મંદિરને તંત્ર દ્વારા રાતોરાત હટાવી દેવાતા વિવાદ સર્જાયો છેજ્યાં 25 ગામના લોકોએ વિધિવત પૂજા વગર આ કાર્યવાહી કરાય હોવાનો આક્ષેપ કર્યો છે.

ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ ભૂતમામા મંદિરને રૂ. 23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે.R&B વિભાગ દ્વારા ગત મોડી રાત્રે પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. જોકેસ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતના સરપંચઉપસરપંચ કેવોર્ડ સભ્યોને આ અંગે કોઈ પૂર્વ સૂચના આપવામાં આવી ન હતી.

આ મંદિર સ્થાનિક લોકો માટે ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર છે. પરંપરા મુજબ લગ્ન પ્રસંગે વરરાજા અહીં દર્શન કર્યા વિના આગળ વધતા નથી. પરંતુ મંદિરને વિધિવત પૂજા વિના હટાવવામાં આવતા પૂર્વ પટ્ટીના 25થી વધુ ગામના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. સમગ્ર મામલે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનોએ સ્થળ પર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. શ્રધ્ધાળુઓએ માંગ કરી હતી કેઆગામી 5 દિવસમાં મંદિરની વિધિવત પૂજા સાથે નજીકના સ્થળે પુનઃ સ્થાપના કરવામાં આવે. જો આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધનની ભાવપૂર્ણ ઉજવણી કરાય, બહેનોએ બંદીવાન ભાઈઓના હાથ પર રક્ષા કવચ બાંધ્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક

New Update

ભાઈ અને બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતો પર્વ

રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ સબજેલમાં ઉજવણી કરાય

પાલિકા-જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના બહેનોની ઉપસ્થિતિ

નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ રહ્યા વિશેષ ઉપસ્થિત

બંદીવાનોને હાથ પર રાખડી બાંધી રક્ષા કવચ અર્પણ કર્યું

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતાં રક્ષાબંધન પર્વની પૂર્વ સંધ્યાએ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવસેનેટરી ચેરમેન હેમાલી રાણા સહિત નગરસેવક બહેનો તથા જનહિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામીગ્રુપ લીડર નયના ખુમાણમિતાક્ષી સોલંકી અને ટ્રસ્ટની બહેનો દ્વારા ભરૂચ જિલ્લા જેલની મુલાકાત લેવામાં આવી હતી.

આ ખાસ પવિત્ર અવસરે જેલના અધિકારી-કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓના હાથ પર રાખડી બાંધી રક્ષાનું પવિત્ર કવચ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બહેનોએ ભાઈઓનું મોઢું મીઠું કરાવી રક્ષાબંધનના તહેવારને સ્નેહથી ઉજવવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ તથા ટ્રસ્ટની બહેનો દ્વારા તમામ બંદીવાન ભાઈઓને ખુદને સુધારવાનો સંકલ્પ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. તેમને ખોટા દૂષણોથી દૂર રહીએક સારા નાગરિક તરીકે સમાજમાં ફરીથી સ્થાન મેળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.