અંકલેશ્વરમાં ખાનગી ટ્રાવેલ્સના બસના ચાલકને કોર્ટે એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારી

અંકલેશ્વરમાં ખાનગી  ટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએ  હાથ કરતા બસ ઉભી રાખી હતી. 

New Update
Ank court

અંકલેશ્વરમાં ખાનગીટ્રાવેલ્સની બસના ચાલકે વાલિયા જવા માટે કોસમડી પાસે ઉભેલા બે શખ્સોએહાથ કરતા બસ ઉભી રાખી હતી.

અને બંનેશખ્સો બસમાં ચઢ્યા બાદ ચાલકે ખાનગી બસ હોવાનું કહીબંનેસાથે ઝઘડો કરીએક શખ્સના માથામાં ફાયર સેફટીની બોટલ મારીહતી.અનેબીજા શખ્સને બસ માંથી ફેંકી દેતા તેનેગંભીર ઇજા સાથે બ્રેન હેમરેજ થયું હતું.  ત્યારે આ કેસમાં કોર્ટે બસ ચાલકને એક વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.

અંકલેશ્વરના કોસમડી ગામ પાસે ગત29 માર્ચ2021 ના રોજ બપોર ના અરસામાંમનીષ વિરેન્દ્ર ગીરીઅને તેના મિત્ર વિકાસ સિંગ સેંગર વાલિયા જવા માટે બસ સ્ટેન્ડ પાસેઉભા હતા.  તે દરમિયાન જમાદાર ટ્રાન્સપોર્ટની બસ ત્યાંથી પસાર થતી હતી.તેઓએહાથ બતાવતા તે બસ ઉભી રહી હતી.બંને મિત્રો બસમાંચડતા બસ ચાલક દશરથસિંહબહાદુરસિંહ સિધ્ધા નેકહ્યું કે ઇમરજન્સીકામ છે. જે સાંભળી બસ ચાલક દશરથસિંહ સિધ્ધાએ બસ કંપનીનીછે તમે ઉતરી જાવ કહીગાળો બોલતા બંનેમિત્રોએ ગાળો બોલવાની ના પાડતા જબસ ચાલક દશરથસિંહ સિધ્ધા ઉશ્કેરાઈ ગયો હતો. અને ફાયર સેફટીની બોટલ મનીષ વિરેન્દ્ર ગીરી માથામાં મારી દીધી હતી. તો વિકાસસિંગ સેંગરને પણબોટલ મારતા આંખની બાજુમાં ઇજા સાથે બસ માંથી નીચે પડી ગયો હતો.બંને ને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે મનીષ વિરેન્દ્ર ગીરીએપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ હતી. જે કેશ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજીની કોર્ટમાં ચાલી ગયો હતો.આ કેસમાંસરકારી વકીલ શિલ્પાબેન પટેલ એવિવિધ પુરાવાતેમજ ધારદાર દલીલ રજૂ કરી હતી.

બસ માંથી નીચે પડેલા વિકાસસિંગ સેંગરને માથામાં ગંભીર ઈજાને પગલે બ્રેન હેમરેજ પણ થયું હતું. સૂંઘવાની શક્તિ પણ ગુમાવી હતી. જે અંગે પણ જરૂરી દલીલ કરી હતી. જે તમામ દલીલ ને ગ્રાહ્ય રાખી નામદારબીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જી.એસ.દરજી સાહેબેએક વર્ષની સખ્ત કેદ અને2000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેમજ અન્ય ઈ.પી.કો કલમ માં વધુમાસની દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો હતો.

સજા કરતા પહેલા કોર્ટ દ્વારા પ્રિવેન્શન ઓફિસર નો રિપોર્ટ પણમંગાવ્યો હતો. જે અંગે પણ સરકારી વકીલ શિલ્પાબેન પટેલ એઇજા અંગેની દલીલ કરી હતી અને નજીવી બાબતે આક્રમક વલણ દાખવ્યું હતું. જેની સમાજમાં દાખલો બેસે તે માટે કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં રાખી પ્રિવેંશનની અરજીને ગ્રાહ્ય ન રાખી સજાનો હુકમ કર્યો હતો.