DFPCL વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 1000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે.

New Update
Deepak Fertilizer

દીપક ફર્ટિલાઇઝર એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લી.(DFPCL) દ્વારા તારીખ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દહેજ ખાતે 1,000થી વધુ વૃક્ષોનાં રોપણની વિશાળ ઝુંબેશ સફળતાપૂર્વક યોજાઈ હતી.આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક સમુદાયમાં પર્યાવરણીય જાગૃતિ ફેલાવવી અને આસપાસના વિસ્તારોમાં હરિયાળી વધારવાનો છે.

આ કાર્યક્રમમાં DFPCLના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અરુણ અગ્રવાલ સહિત કંપનીના પ્રતિષ્ઠિત કર્મચારીઓએ ભાગ લીધો હતો. રોપણ ઝુંબેશ દહેજ અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ તથા જૈવ વિવિધતાના મહત્વને ઉજાગર કરે છે અને આ સાથે ગ્રીન બેલ્ટનો વિકાસ કરવાની દિશામાં પણ પગલા લેવામાં આવ્યા છે.

DFPCL પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને આવી ઝુંબેશો દ્વારા ગ્રીન ઇન્ડસ્ટ્રી અને સમૃદ્ધ ભવિષ્ય માટે કાર્યરત છે. આ પહેલ દ્વારા દહેજ વિસ્તાર વધુ હરિયાળુ અને સ્વચ્છ બનશે. DFPCLનો આ પર્યાવરણીય અભિયાન સામાજિક જવાબદારી અને પર્યાવરણ સંરક્ષણની દૃઢ નિશાની છે.

Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.