ભરૂચ : ઝઘડિયાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત સિંચાઇ માટે પાણી મળતા ખેડૂતોએ કર્યા વધામણા

ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી ઝઘડીયાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા

New Update
  • કરજણ જળાશય યોજના આધારિત ખેડૂતોને મળ્યું પાણી

  • વર્ષો જૂની ખેડૂતોની સમસ્યાનું આવ્યું નિરાકરણ

  • ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટ અંતર્ગત મળ્યું પાણી

  • ખેડૂતોએ પાણીના કર્યા વધામણા 

  • સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ

Advertisment

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરપાન ખાતે ખેડૂતોની પાણી માટેની સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યું છે,કરજણ જળાશય યોજના આધારિત પાઈપલાઈન પ્રોજેક્ટનું પાણી મળતા ખેડૂતોએ વધામણા કર્યા હતા.

 ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટ સુધી ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા,કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાટમાં ઉદવહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.

જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશથી આજરોજ ઝઘડીયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા. 

આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે,ઝઘડીયા તાલુકાના પીપરપાન તેમજ રામપોર,ચોકી,ખોડા આંબાઆમલઝર જેવા વિસ્તારના ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે.જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી,તેમજ ખેડૂતોએ ધારાસભ્ય અને તાલુકા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisment
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.