અંકલેશ્વર: અડોલ ગામના ખેડૂતે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી,વળતર બાબતે વિરોધ નોંધાવતા અધિકારીઓ દોડતા થયા

અડોલ ગામના ખેડૂતે જમીનની ખોટી માપણી થઇ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે માટે થતા માટીપુરાણ કામને અટકાવી દેવાયુ

New Update
  • અંકલેશ્વરના અડોલ ગામે વિરોધ

  • એક્સપ્રેસ હાઈવેની કામગીરી દરમ્યાન વિરોધ

  • ખેડૂતે હાઈવેની કામગીરી અટકાવી

  • વળતર બાબતે વિરોધ નોંધાવાયો

  • મામલતદાર સહિતના અધિકારીઓએ રજુઆત સાંભળી

Advertisment
અંકલેશ્વર તાલુકાના અડોલગામની સીમમાં આવેલ એક જમીનના ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોય અને પોતાને હજુ સુધી એવોર્ડ જાહેર ન કરાયો હોવા બાબતે આજે એક્સપ્રેસ વે માટે થતા માટીપુરાણ કામને અટકાવી દેવાયુ હતુ. 
અંકલેશ્વર પંથકમાં નિર્માણ પામી રહેલ એક્સપ્રેસ વે માટે સંપાદિત ખેડૂતોની જમીનો માટે હજુય સરકાર દ્વારા નાણાં ચૂકવાયા નથી તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.આજરોજ અંકલેશ્વર તાલુકાના અડોલ ગામના ખેડૂત કાલિદાસ જેસંગ પટેલના પરિવારજનોએ એક્સપ્રેસ વે માટે થતા માટી પુરાણ કામને અટકાવી દીધુ હતુ.આ અંગેની જાણ થતા અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત ઘટના સ્થળે દોડી ગયા હતા.
તેમની સાથે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને માટી પુરાણ કામકાજ શરૂ કરાવવાના પ્રયત્નો આદર્યા હતા.ખેડૂત તરફે ઘટના સ્થળે આવેલ વકીલ જયરાજ પટેલ અને ખેડૂતના પરિવારજનોએ જ્યાં સુધી તેઓને તેમની જમીનનો પુરતો એવોર્ડ જાહેર ના થાય ત્યાં સુધી કામકાજ કરવા દઈશુ નહીં તેમ મક્કમતાથી જણાવ્યુ હતુ.
Advertisment
બીજીતરફ અંકલેશ્વર મામલતદારે પણ ખેડૂત પરિવારજનોને તેમની જમીનના દસ્તાવેજોમાં જરૂરી પુર્તતા કરવા આગ્રહ કર્યો હતો. મોડે સુધી આ અંગે માથામણો ચાલી હતી.
ખેડૂત પરિવારજનોના મતે તેમની જમીનનો કેટલોક ભાગની માપણીમાં સરકાર તરફે ભુલ કરાયી છે જેને પગલે તેમને સંપાદિત જમીનમાં ઓછો એવોર્ડ જાહેરથયો છે તે ક્ષત્તિ દુર કરી યોગ્ય નુકશાની વળતર ચૂકવાય.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment