ભરૂચ જિલ્લાના ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલાના અપમૃત્યુની ઘટનામાં આખરે પોલીસે ફરિયાદ કરી દર્જ

ઝઘડિયા  તાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં લગ્નવિચ્છેદ મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં પોલીસે તેણીના પિતાએ ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી,જેમાં જશોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

New Update

ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલાનો અપમૃત્યુનો મામલો

પોલીસે દુષ્પ્રેરણની ફરિયાદ કરી દર્જ  

પ્રેમી તેની પત્ની સહિત ચાર લોકો સામે નોંધાયો ગુનો 

મૃતક મહિલાના પિતાએ લગાવ્યા ગંભીર આરોપ 

પોલીસે આરોપીઓની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન  

 

 ભરૂચ જિલ્લાના ઝઘડિયાની લગ્નવિચ્છેદ મહિલા અપમૃત્યુ કેસમાં આખરે પોલીસ દ્વારા ફરિયાદ દર્જ કરવામાં આવી હતી,મહિલાના અપહરણ અને આપઘાત માટેના દુષ્પ્રેરણા અંગેનો પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા  તાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં લગ્નવિચ્છેદ મહિલા રાધિકાના આપઘાતની ઘટનામાં પોલીસે તેણીના પિતાએ ઝઘડિયા પોલીસે ફરિયાદ નોંધી હતી,જેમાં જશોદા નટવરભાઈ વસાવા તેમના પતિ નટવર નરસિંહભાઈ વસાવા અને અન્ય બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, ફરિયાદમાં જણાવ્યા અનુસાર રાધિકાના બે વખત છૂટાછેડા થયા છે,અને રાધિકા પોતાના પિતાના ઘરે જ રહેતી હતી,જોકે નટવર વસાવા સાથે તેણીના પ્રેમસંબંધ હતો.

નટવરની પત્ની જશોદા દ્વારા રાધિકાના ઘરે જઈને બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી,અને ત્યારબાદ રાતના સમયે નટવર અને તેના બે અજાણ્યા સાથીદારો રાધિકાના ઘરે ગયા હતા,અને ઘરના સભ્યો સાથે અપશબ્દો બોલીને બળજબરી રાધિકાને પોતાની સાથે લઇ ગયા હતા,અને તેણીના પરિવારજનોને ધાકધમકી આપી હતી.

જોકે ત્યાર બાદ તારીખ 8મી ઓગષ્ટના રોજ નટવરે રાધિકાના ઘરે ફોન કરીને તેણીએ એસિડ પી લેતા સારવાર અર્થે લઇ જવામાં આવી હવાનું જણાવ્યું હતું,પરંતુ વડોદરા SSG હોસ્પિટલમાં રાધિકાએ અંતિમ શ્વાસ લીધો હતો.રાધિકાના પિતા ગણેશ વસાવાની ફરિયાદને આધારે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ આરોપી જશોદા નટવરભાઈ વસાવા તેમનો પતિ નટવર નરસિંહ વસાવા સહિત બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.     

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ અને પોલીસના સંકલનને અભાવે રાધિકાના મૃતદેહનું પોસ્ટમોર્ટમમાં વિલંબ થતા ભારે હોબાળો મચ્યો હતો,અને આ મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જરૂરી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.આખરે ચકચારી ઘટનામાં ઝઘડિયા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી,અને પોલીસે આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. 

#પોલીસ ફરિયાદ #ઝઘડિયા #Suicide Case #મહિલા અપમૃત્યુ કેસ #Women Suicide #દુષ્પ્રેરણા #ભીમપોર સાકરીયા ગામ
Here are a few more articles:
Read the Next Article