ભરૂચ મોહસીને આઝમ મિશન દ્વારા સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિ ખાતે દર્દીઓને 160 જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરી અશરફ જીલાનીના હુકમથી મોહસીને આઝમ મિશન-ડેપો ભરૂચ બ્રાન્ચ દ્વારા મોહરમના પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલ સ્થિત સેવા યજ્ઞ સમિતીમાં આસરો લેતા નિરાધાર લોકોને મદદ કરવામાં આવી હતી. મોહસીને આઝમ મિશન દ્વારા સેવાયજ્ઞ સમિતી ખાતે દર્દીઓને 160 જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રીતે કોઈ પણ જાતપાત વગર મોહસીને આઝમ મિશન દ્વારા હંમેશા જરૂરિયાતમંદોની સેવા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.