ભરુચ: મહંમદપુરા નજીક જર્જરિત સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી થઈ ધરાશાયી,પરિવારનું કરાયું રેસ્ક્યુ

જર્જરિત સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થઇ હતી.સર્જાયેલી ઘટનામાં એક પરિવાર બિલ્ડિંગમાં ફસાયો હતો,જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું

New Update
  • જર્જરિત કોમ્પલેક્ષની ગેલેરી થઈ ધરાશાયી

  • કોમ્પલેક્ષની ગેલેરી તૂટવાના કારણે લોકો ભયભીત

  • એક પરિવાર ફસાતા ભયનો માહોલ સર્જાયો

  • અગાઉ પણ આ કોમ્પલેક્ષની ગેલેરી થઇ છે ધરાશાયી

  • ફાયર બ્રિગેડ દ્વારા ફસાયેલા પરિવારનું કરાયું રેસ્ક્યુ 

ભરૂચના મહંમદપુરા નજીક જર્જરિત સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશાયી થઇ હતી.સર્જાયેલી ઘટનામાં એક પરિવાર બિલ્ડિંગમાં ફસાયો હતો,જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.  

 ભરુચના મહંમદપુરા નજીક આવેલ અને જર્જરિત થઇ ગયેલ સીટીઝન કોમ્પલેક્ષની ગેલેરી ધડાકા સાથે ધરાશય થતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો.જેમાં પતિ,પત્ની અને એક છ વર્ષની બાળકી ફસાયા હતા.

અને પરિવાર ભયભીત થતા ભરુચ નગરપાલિકા ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો બચાવ માટે પોહચ્યો હતો.અને સ્થાનિકોને પૂછતાછ કરી રેસ્ક્યુ માટે જવાનો ઉપર પહોંચ્યા હતા અને પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આ કોમ્પલેક્ષની કેટલી ગેલેરીઓ વારંવાર ધરાશાયી થવાની ઘટનાઓ બનતી રહી છે.તો નગરપાલિકા દ્વારા પણ સીટીઝન કોમ્પલેક્ષને જોખમી જાહેર કરી નોટિસો આપવામાં આવી છે.પણ નોટિસ આપ્યા બાદ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.જેના કારણે આજે પણ અહીં કેટલાયે પરિવારો ભયના ઓથા હેઠળ રહે છે,ત્યારે જો કોઈ મોટી જાનહાનિની ઘટના ન બને તે માટે ખરા અર્થમાં પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.