New Update
/connect-gujarat/media/media_files/2025/07/04/kharach-village-2025-07-04-17-01-13.jpg)
ભરૂચ જિલ્લામાં જંગલમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વન્ય પ્રાણી પ્રયાણ કરી રહ્યા છે.ત્યારે અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના ગામોમાં દીપડા નજરે પડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામે દીપડાની અવરજવર થતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.વનવિભાગ દ્વારા દીપડાના ફૂટ પ્રિન્ટના આધારે બે જેટલા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.જે પાંજરામાં ગત રાત્રે અંદાજિત ચાર વર્ષીય દીપડો પંજારે પુરાયો હતો.દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે હજુ પણ દીપડા હોવાથી વનવિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા.આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક આવેલ બિરલા કંપનીમાં દીપડો નજરે પડતા વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં 2 જુલાઈના રોજ અંદાજિત બે વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો,અગાઉ પણ આ બિરલા કંપનીમાંથી બે જેટલા દીપડા પાંજરે પુરાયા હતા.આ બંને દીપડાની તબીબી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવામાં આવ્યા હતા.
Latest Stories