વીજ ધાંધીયાથી ત્રસ્ત ઝઘડિયાના ગામોના સ્થાનિકોએ આપ્યું વીજ કચેરીએ આવેદન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધારોલી-વાસણા વિસ્તારના 11 જેટલા ગામોમાં અનિયમિત વીજ પુરવઠાના કારણે ગ્રામજનોએ વીજ કચેરીએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા મથકે આવેલ વીજ કંપનીની કચેરીના તાબા હેઠળ ઝઘડિયાથી લઈ મુલદધારોલીપડવાણિયા સુધી સબ સ્ટેશન તથા ફીડરો કાર્યરત છે. ઝઘડિયા વીજ કચેરીની બેદરકારીના કારણે તમામ સબ સ્ટેશન તથા ફીડરોની સમયસર મરામત નહીં થતી હોવાથી વરસાદના સામાન્ય ઝાપટામાં પણ વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. જેના પગલે ઝઘડિયા તાલુકાના ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા આંબોસશિયાલીવાસણાપડાલનવાગામમોરતલાવબોરજાઇ દરિયાકડિયા ડુંગર જેટલા ફીડરોમાં જ્યોતિગ્રામ યોજનાના રહેણાંક વિસ્તારની વીજ લાઈનના ગ્રાહકોએ ઝઘડિયા વીજ કચેરી ખાતે આવ્યા હતા

અને નાયબ ઇજનેરને ઉગ્ર રજૂઆત કરી હતી. ભારતીય આદિવાસી પાર્ટીના આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કેજ્યારથી આ વીજ લાઈનો આ વિસ્તારમાં કાર્યરત થઈ છેત્યારથી જ ધારોલી સબ સ્ટેશન હેઠળ આવતા 10થી વધુ ફીડરો પર સમયસર સમારકામ કરવામાં આવતું નથીજેના કારણે અવારનવાર સામાન્ય પવનમાં અથવા વરસાદી ઝાપટામાં વીજળી કલાકો સુધી ડુલ થઈ જાય છે. ફરિયાદ કર્યા બાદ પણ તેનું કોઈ સમારકામ કરવા આવતું નથીત્યારે આગામી 10 દિવસમાં સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો સરકાર સુધી ઉગ્ર રજૂઆત કરવા અંગે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

 

Latest Stories