નર્મદા: ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યોએ સૌને મંત્રમુગ્ધ કર્યા

ભરૂચ | ગુજરાત | Featured | : સમાચાર, નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિયર ડેમનો કુદરતી નજારો આહલાદક બન્યો છે.ગત તારીખ 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા

New Update

નર્મદાના ગરૂડેશ્વર વિયર ડેમનો આકાશી નજારો

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા વિયર ડેમ થયો ઓવરફ્લો

SOUની સફરે આવતા પ્રવાસીઓ માટે વિયર ડેમ બન્યો આકર્ષણનું કેન્દ્ર

સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.03 મીટરે પહોંચી

પાવર હાઉસ ધમધમતા થતા 1200 મેગાવોટ વીજળીનું ઉત્પાદન  


નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વિયર ડેમનો કુદરતી નજારો આહલાદક બન્યો છે.ગત તારીખ 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કરવામાં આવ્યા હતા,અને ત્યાર બાદ તારીખ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.જેના કારણે ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો  થયો છે.

હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.03 મીટરે પહોંચી છે,જેના કારણે ડેમના દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ધમધમતા થતા 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરીને લગભગ 93 હજાર 543 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરૂડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની ગયો છે.ત્યારે ગરૂડેશ્વર વિયર ડેમનો આકાશી નજારો સૌને મંત્રમુગ્ધ કરશે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.