New Update
/connect-gujarat/media/media_files/2025/04/28/Z5PifhcCRGEF9b2okcYz.jpeg)
ભરૂચ જિલ્લામાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આગામી તા. ૦૪/૦૫/૨૦૨૫ના રોજ NEET-૨૦૨૫ની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેથી NEET-૨૦૨૫ની પરીક્ષાના અગોતરા આયોજન માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓ જેવી કે પરીક્ષા કેન્દ્રો ખાતે સીસીટીવી કેમેરા, કંટ્રોલરૂમ શરૂ કરવા બાબતે, વીજળીનો પુરવઠો ન ખોરવાય તેની તકેદારી રાખવા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ ન ખોરવાય તેની તકેદારી રાખવા, ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સહિતની સૂચનાઓ આપવામાં અવાઈ હતી.
ભરૂચ શહેરમાં જે.પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, એમ. કે. કોલેજ ઓફ કોમર્સ, કેવી ઓએનજીસી તેમજ જીએનએફસી નર્મદા વિદ્યાલયમાં પરીક્ષા લેવામાં આવશે.
Latest Stories