શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનનું “સેવાકાર્ય”, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કર્યું

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાન દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સેવાકાર્ય

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું

  • શિશુ-1થી ધો-12ના સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

  • વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ

  • જરૂરિયાતમંદોને વ્હીલચેરબેડ-વોકરની પણ સુવિધા મળશે 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છેત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શિશુ-1થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેરબેડ અને વોકરની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનએ જણાવ્યુ હતું.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.