ભરૂચ- અંકલેશ્વરમાં રામનવમીના પર્વને અનુલક્ષી પોલીસની ફ્લેગ માર્ચ, કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ તેમજ અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી

ભરૂચ અંકલેશ્વરમાં આયોજન

પોલીસ દ્વારા આયોજન કરાયું

સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત

આવતીકાલે રામનવમીના પર્વને અનુલક્ષીને ભરૂચ તેમજ અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ જોડાયા હતા

આવતીકાલના રોજ રામનવમીના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ શહેરમાં પણ રામનવમીના પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે રામનવમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંમ સોનેરી મહલ સ્થિત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ફ્લેગ માર્ચ નીકળી હતી જે જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ડી.વાય.એસ.પી. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

આ તરફ અંકલેશ્વરમાં પણ રામનવમીના પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસના ઘાડેધાડા ઉતર્યા હતા. અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા અને લોકોને શાંતિ તેમજ સુરક્ષાનો અનુભવ કરાવ્યો હતો. આવતીકાલે અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનો દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ ન બને તેની પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે
Read the Next Article

ભરૂચ: વાલિયાના 2 ગામોમાં સરકારી જમીન પર કરાયેલ દબાણો હટાવવામાં આવ્યા

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

New Update
  • ભરૂચના વાલિયામાં કાર્યવાહી

  • 2 ગામોમાં સરકારી જમીન પર કરાયા હતા દબાણ

  • દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાય

  • અગાઉ પાઠવવામાં આવી હતી નોટીસ

  • અધિકારીઓ રહ્યા હાજર

ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ-આમલા ગભાણમાં સરકારી જમીનમાં દબાણ કરનાર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
ભરૂચના વાલિયા તાલુકાના ધોળગામ ગ્રામ પંચાયતમાં આવેલ ધોળગામ અને આમલા ગભાણ ગામે સરકારી ગૌચરણ અને ગામ તળમાં કેટલાક ઈસમોએ દબાણ કરતા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ ત્રણ નોટિસ આપ્યા બાદ પણ દબાણકર્તાઓ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર નહીં કરતા આજરોજ તલાટી,સહિતના અધિકારીઓ સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન આમલા ગભાણ ગામે ત્રણ દબાણકર્તાઓએ દબાણ હટાવવા મુદ્દત માગતા તેઓને ગ્રામ પંચાયત દ્વારા મુદ્દત આપવામાં આવી હતી.જ્યારે ધોળગામના ત્રણ રસ્તાથી ગામના છેડા સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.