આવતીકાલે રામનવમીના પર્વની ઉજવણી
ભરૂચ અંકલેશ્વરમાં આયોજન
પોલીસ દ્વારા આયોજન કરાયું
સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા કવાયત
આવતીકાલના રોજ રામનવમીના પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચ શહેરમાં પણ રામનવમીના પર્વ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમ યોજાશે રામનવમી નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કોઈ અનિરછનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુંમ સોનેરી મહલ સ્થિત ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી ફ્લેગ માર્ચ નીકળી હતી જે જુના ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી ડી.વાય.એસ.પી. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીની શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.