ચૈતર વસાવાને “રાહત” : નર્મદા-ભરૂચમાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ

ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

New Update

મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જતું હોવાથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નર્મદા પોલીસે જમીન મામલે વન વિભાગના અધિકારીઓને માર મારવાધમકાવવા અને હવામાં ગોળીબાર સંદર્ભે ફરિયાદ નોંધી હતી. જેમાં ધારાસભ્યની પત્ની સહિત અન્ય 2 આરોપીઓ પણ સામેલ હતા. જે ફરિયાદ નોંધાતા પોલીસે ચૈતર વસાવાની પત્ની શકુન્તલા વસાવાની તેમના ઘરેથી ધરપકડ કરી હતીજ્યારે ચૈતર વસાવા ફરાર થઈ ગયા હતા.

ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દિધી હતી અને બાદમાં હાઇકોર્ટે પણ આગોતરા જામીન ફગાવી દેતા ચૈતર વસાવાએ 40 દિવસ બાદ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ કેસમાં નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકે IPCની વિવિધ કલમો સહિત આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો. બાદમાં આ કેસમાં તપાસ પૂર્ણ થતા અને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાતા ચૈતર વસાવાએ નર્મદાની ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી મુકી હતીજેને શરતી મંજૂરી આપવામાં આવી હતી. જોકેઆ શરતોમાં ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તેમજ કોર્ટની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ભરૂચ જિલ્લામાં પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતાત્યારે ટ્રાયલ કોર્ટની શરતોમાં મુક્તિ આપવા ચૈતર વસાવા ચૂંટણી પહેલા હાઈકોર્ટ પહોંચ્યા હતા. ચૈતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કેચૈતર વસાવા ભરૂચની બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારનું રાજકીય કારકિર્દી બરબાદ થઈ શકે તેમ છે. વર્તમાન કેસની ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ છે. નર્મદાની કોર્ટમાં પણ આ શરતોને દૂર કરવા અરજી કરાય હતી. જોકેતે અરજી નકારી દેવામાં આવી હતી. અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છેતેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેથી તેમની વિધાનસભાને પણ નુકશાન જઈ રહ્યું છે. જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓને ચૂંટણીમાં ન્યાય મળી શકશે નહીં. આથી હાઇકોર્ટે તા. 12 જૂન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતોજેની સામે સરકાર સુપ્રીમ કોર્ટ ગઈ હતી. જોકેસુપ્રીમે તે અરજી ફગાવી દીધી હતીત્યારે હવે હાઇકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે. કારણ કેમત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકશાન જાય છે. જેથી ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાહત સાથે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

#Gujarat HighCourt #Narmada #Chaitar Vasava #Bharuch #AAP MLA Chaitar Vasava
Latest Stories
Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરી...

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.