ભરૂચ: પૌરાણિક શુકલતીર્થ ગામે શુકલતીર્થ ઉત્સવ 2026ની ઉજવણી,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

શુકલતીર્થ ઉત્સવની શરૂઆત રાજ્યના પાણીપુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટય થકી કરવામાં આવી

New Update
Shukaltirth Utsav 2026
કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ દ્વારા આયોજીત બે દિવસીય શુકલતીર્થ ઉત્સવમાં ગુજરાતના વિવિધ કલાવૃંદો દ્નારા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉત્સવની શરૂઆત રાજ્યના પાણીપુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણા અને અન્ય મહાનુભાવોના વરદ્હસ્તે દિપ પ્રાગટય થકી કરવામાં આવી હતી.

Shukaltirth Utsav 2026

પ્રથમ સંધ્યાએ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ કલાવૃંદો પોતાની સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિ રજૂ કરી હતી. જેમાં કલાવૃદો દ્નારા, પ્રાચિન ગરબો, ગોંઘળ નૃત્ય, સીદી ધમાલ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અને ગુજરાતના પ્રખ્યાત કલાકાર વિક્રમ લાબડીયા અને ઉમેશ બારોટની ટીમે શુકલતીર્થ ઉત્સવમાં પરફોર્મ કરી સંગીતના સૂરથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી મનિષા મનાણી, સંચાલક મંડળના પ્રમુખ,  યુવા અધિકારી  મિતાબેન ગવલી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Shukaltirth Utsav 2026

Latest Stories