ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની ૫૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ

New Update

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન મામલતદાર ઓફીસ ની સામે,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ તથા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલના અઘ્યક્ષ સ્થાને મળી હતી.

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ આમંત્રિત મહેમાનો,સભાસદો, સભ્યો,મંડળીમાંથી નિવૃત થયેલા સભાસદો ધો,૧૦/૧૨ માં ઉર્તિણ થયેલ બાળકો તથા માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. જેમાં મુખ્યત્ત્વે ભરૂચ-નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓ નુ સન્માન કર્ય, પ્રવિણસિંહ રણા, કિરીટસિંહ મહિડા, અમિતસિંહ વાંસદિયા, મુકેશકુમાર ડી ટેલર, સંજયકુમાર વસાવા,વિગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ-નર્મદા જિલ્લામાં માઘ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી હતી તથા ભરૂચ-નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ ,મંત્રીઓ હાજર રહયા હતા અને ભરૂચ-નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.