ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની ૫૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ

New Update

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભા આજરોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન મામલતદાર ઓફીસ ની સામે,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે રાઓલ તથા નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.કિરણબેન પટેલના અઘ્યક્ષ સ્થાને મળી હતી.

ધી ભરૂચ-નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓ ક્રેડીટ સોસાયટી લી,ભરૂચ ની ૫૭ મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીના ચેરમેન કિરીટસિંહ ઘરીયાએ આવેલ આમંત્રિત મહેમાનો,સભાસદો, સભ્યો,મંડળીમાંથી નિવૃત થયેલા સભાસદો ધો,૧૦/૧૨ માં ઉર્તિણ થયેલ બાળકો તથા માતા પિતા વગરના બાળકોનું અભિવાદન કરી આવકાર્યા હતા. જેમાં મુખ્યત્ત્વે ભરૂચ-નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીઓ નુ સન્માન કર્ય, પ્રવિણસિંહ રણા, કિરીટસિંહ મહિડા, અમિતસિંહ વાંસદિયા, મુકેશકુમાર ડી ટેલર, સંજયકુમાર વસાવા,વિગેરે મહાનુભાવોનું તેમજ નિવૃત થયેલ સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ-નર્મદા જિલ્લામાં માઘ્યમિક ગ્રાન્ટેડ શાળામાં ભણતા માતા પિતા વગરના બાળકોને મંડળીની યોજના અંતર્ગત શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવી હતી તથા ભરૂચ-નર્મદા જિલ્લાના વિવિધ પ્રકારના ઘટક સંઘોના પ્રમુખ ,મંત્રીઓ હાજર રહયા હતા અને ભરૂચ-નર્મદા જિલ્લામાંથી મોટી સંખ્યામાં સભાસદો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.