અંકલેશ્વર ગણેશ સમિતિની દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ

અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે

New Update
આગામી માસમાં ઉજવાશે ગણેશ મહોત્સવ
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા પાઠવાયું આવેદનપત્ર
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન થાય એવી માંગ
કૃત્રિમ કુંડો પર સુવિધાઓનો અભાવ હોવાની રજુઆત
અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા શ્રીજી ની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવશે અને દશ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક ગણેશજીની આરાધના કરવામાં આવશે ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં વિસર્જન કરવા દેવામાં આવે તેવી માંગ સાથે અંકલેશ્વર ગણેશ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કોવિડ-૧૯ની મહામારી દરમ્યાન સરકારના આદેશનું ચુસ્તપણે તમામ ગણેશ મંડળો અને ભક્તોએ પાલન કરી તંત્ર દ્વારા નક્કી કરાયેલ વિસર્જન કુંડોમાં જ  ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરેલ હતું જે ગત વર્ષના ગણેશોત્સવ સુધી યથાવત રહ્યું હતું પરંતુ તંત્ર દ્વારા જે કુત્રિમ કુંડો તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં. એ અપૂરતી સુવિધા વાળા હતા તેમજ વિસર્જન બાદ જરૂરી પગલાં તંત્ર દ્વારા ના લેવાતા મૂર્તિઓની દુર્દશા જોવા મળી હતી ત્યારે શ્રીજીની પ્રતિમાઓનું નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે
Read the Next Article

અંકલેશ્વર : રામકુંડ તીર્થના પટાંગણમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરાય...

અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

New Update
Ankleshwa Ramkund

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રામકુંડ તીર્થના પટાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ થકી ગુરુપૂર્ણિમાના પાવન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુપૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છેત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ ઠેર ઠેર ગુરુપૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતીત્યારે અંકલેશ્વર શહેરના રામકુંડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે રામકુંડ તીર્થના પટાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વૃક્ષોનું જતન કરી પર્યાવરણની રક્ષા કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતપાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.