New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની ઉજવણી
પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
ભગવાન બિરસા મુંડાના કાર્યોને યાદ કરાયા
મોટી સંખ્યામાં સમાજમાં યુવાનો જોડાયા
સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર હાંસોટ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને ભગવાન બિરસા મુંડાના મહાન કાર્યોને યાદ કરાયા હતા. આ કાર્યક્રમમાં વિનય વસાવા, નીતિન વસાવા, સુનીલ વસાવા સહિતના આગેવાનો તેમજ આદિવાસી સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Latest Stories