Connect Gujarat
ગુજરાત

ભાવનગર : પાણીના ખાડામાં નાહવા પડેલા 2 બાળકોનું ડૂબી જતાં મોત, પરિવારમાં આક્રંદ...

હિલપાર્ક ચોકડી નજીક અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાં 2 બાળકો નાહવા પડ્યા હતા

X

હિલપાર્ક ચોકડી નજીક બન્યો ચકચારી બનાવ

પાણીના ખાડામાં નાહવા પડેલા 2 બાળકો ડૂબ્યા

બન્ને બાળકોના મોતના પગલે પંથકમાં ચકચાર

ભાવનગર શહેરની હિલપાર્ક ચોકડી નજીક પાણી ભરેલા ખાડામાં નાહવા પડેલા 2 બાળકોનું મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરની હિલપાર્ક ચોકડી નજીક અધેવાડા તરફ જવાના રોડ પર આવેલા પાણી ભરેલા ખાડામાં 2 બાળકો નાહવા પડ્યા હતા. આ દરમ્યાન બન્ને બાળકો ખાડાના પાણીમાં અચાનક ગરકાવ થવા લાગ્યા હતા. જોતજોતામાં બન્ને બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યા હતા.

ત્યારબાદ આ મામલાની જાણ લોકોએ તંત્રને કરી હતી. બનાવના પગલે ભાવનગર પાલિકાના ફાયર વિભાગના ફાયર ફાઇટરો તથા 108 સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે બાદ બાળકોના મૃતદેહને રેસક્યું કરી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, પોલીસે બન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્વસ્તિક પાર્કના રહેવાસી 17 વર્ષીય શિવમ જગદીશભાઈ મોરબીયા તેમજ કાળિયાબીડના રહેવાસી સતીશ ઠાકરશીભાઈ ગોહેલના મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.

Next Story