/connect-gujarat/media/post_banners/cf680b4ffe1ea5475b7cab3d50aad07b87aa768c67b9748f2c927432b0042601.jpg)
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તરવહીકાંડ સામે આવ્યું છે. એક્સટર્નલ વિભાગની પરીક્ષા દરમિયાન છ ઉત્તરવહી પરીક્ષા ખંડની બહાર જતી રહી અને કોઈ સ્કુટરની ડીકીમાં રાખી ગયું તેમ જણાવી પરત આપી જવાની ઘટના સામે આવી છે.
MKB યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલ બી.કોમ અને એમ.કોમ.ની પરીક્ષામાં બાહ્ય અભ્યાસક્રમના બિલ્ડીંગમાં ચાલતા પરીક્ષા સેન્ટરમાં 6 ઉત્તરવહી બહારથી કોઈ વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી વિદ્યાર્થીને મળી આવેલ તે ઘટના બની તે બાબતે યુનિવર્સિટી દ્વારા કમિટી બનાવીને ભીનું સંકેલવાની નીતિ અપનાવી હોય તેમ યુનિ.ના સેનેટ સભ્ય મહેબૂબ બલોચે યુનિ.ના કુલપતિ તથા કુલસચિવને રજૂઆત કરી યુનિવર્સિટી આ બાબતે કોઈ હિંમત દાખવી કર્યવાહી કરી શકશે તેવો પ્રશ્ન કર્યો છે. વધુમાં પરીક્ષા વિભાગના ઓએસડી પણ ઘટના સ્થળે હાજર હોય તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી યુનિવર્સિટી દ્વારા ના કરવાનું કોઈ કારણ તો ચોક્કસ હશે જ. અને એવું પણ માનવાનું કારણ ને નકારી ના શકાય કે આ ઉત્તરવહી બહાર જ લખાઈ હોય તો?યુનિવર્સિટી દ્વારા છેલ્લી બધી પરીક્ષાના સીસીટીવી ફૂટેજ જોવે તો કદાચ કઈ નવુ જ બહાર આવે તેમ પણ જણાવાયું છે.