Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નીલમ બાગ થી કાળાનાળા શુધી તિરંગા યાત્રા યોજી હતી

X

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા શહેરના નીલમ બાગ થી કાળાનાળા શુધી તિરંગા યાત્રા યોજી હતી જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશના હોદ્દેદાર કાર્યકરો અને શહેર સંગઠન યોજાયા હતા

ભાવનગર આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજી હતી એ તિરંગા યાત્રા શહેરના નિલંબાગ સર્કલ ખાતે પ્રજા વત્સલ્ય કૃષ્ણકુમારસિંહજી ની પ્રતિમાને વંદન અને ફુલહાર પહેરાવી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમજ જસોનાથ ચોક તેમજ ઘોઘાગેટ

ખાતે ડો. ભીમરાવ આંબેડકર અને શહીદભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી તેમજ ભીડભંજન મહાદેવ ના મંદિરે દર્શન પણ કાર્ય હતા આ રેલી શહેરના નિલંબાગ થી પ્રસ્થાન કરી પાનવાડી, જસોનાથ,રૂપમ ચોક,ભીડભંજન ચોક,કાળાનાળા શુધી યોજાઈ હતી આ રેલીમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ દિલ્હી વિધાનસભાના ધારાસભ્ય અને દંડક દિલીપ પાન્ડે અને સૌરાષ્ટ્ર પ્રદેશ સંગઠણ મંત્રી રાજભા ઝાલા તેમજ શહેર સંગઠન અને કાર્યકરો હજાર રહિયા હતા અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં પંજાબ ની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ બાજી મારી હોય અને આવનારા સમયમાં ગુજરાતમાં પણ ચૂંટણી ના એંધાણ આવીગ્યા છે ત્યારે સ્થાનિજ સ્વરાજ ની ચૂંટણી માં સમતલ માં રહેલી આપ ને હવે પંજાબ ની જીત બાદ હવે આમ આદમી પાર્ટી ની નજર ગુજરાત પર છે તેવું લાગી રહિયું છે

Next Story