ભાવનગર: અફઘાનિસ્તાનથી પરત ફરેલા યુવાને જણાવી આપવીતી, સાંભળો એમના જ શબ્દોમાં

અફઘાનિસ્તાનથી ભાવનગરનો યુવાન પરત ફર્યો, વતન પરત આવતા જણાવી આપવીતી.

New Update
ભાવનગર: અફઘાનિસ્તાનથી પરત ફરેલા યુવાને જણાવી આપવીતી, સાંભળો એમના જ શબ્દોમાં

રોજગારી અર્થે અફઘાનિસ્તાનમાં સ્થાયી થયેલ યુવાન ભાવનગર પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરત આવેલ યુવાને જણાવ્યુ હતું કે પરિસ્થિતી જોતા વતન પરત આવવું ખૂબ જ મુશ્કેલ લાગી રહયું હતું.

અફઘાનિસ્તાન પર તાલિબાને કબજો મેળવ્યો છે. ત્યારે અનેક ભારતીયો પોતાના વતન પરત ફરી રહ્યા છે. ભારતે ખાસ વિમાન મોકલીને અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવાનું કામ કર્યું છે ત્યારે મૂળ ભાવનગરનો યુવાન અફઘાનિસ્તાનથી પરત આવ્યો હતો આ યુવાન રોજગાર અર્થે અફઘાનિસ્તાન ગયો હતો. જે હેમખેમ પરત ફરતાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

અફઘાનિસ્તાનથી પરત આવેલા શિવાંગ દવેએ જણાવ્યું હતું કે જ્યારે તાલિબનોએ કબ્જો કર્યો હતો ત્યારે મારી નજર સામે ઘણુબધુ જોયુ છે. એક અઠવાડિયા પહેલા કાબુલથી હું પાછો આવ્યો છું જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો કબ્જા બાદ ઠેર-ઠેર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. વતન પરત આવવાનું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું હતું પરંતુ વતનમાં પગ મૂકાતા ખૂબ જ ખુશી થઈ રહી છે.

Read the Next Article

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે, પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યાં

12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે.

author-image
By Connect Gujarat Desk
New Update
1749726703_new-project-8

12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમના પુત્ર ઋુષભ ગાંધીનગર તેમના નિવાસસ્થાન પહોંચ્યાં છે. DNA રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઇ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે.  રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે. તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમના તેઓ ધારાસભ્ય રહી ચૂક્યાં  છે. 2016થી 2021 સુધી તેમણે ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. તેમના નિધનના સમાચારથી રાજકોટ શહેર શોકમગ્ન છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા આજે રાજકોટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે અડધો દિવસ ધંધા રોજકોટ બંધ રાખીને લોકલાડીલા નેતા વિજય રૂપાણીને શહેર દ્રારા શ્રદ્ધાંજલિ અપાશે.

ઉલ્લેખનિય છે કે, 12 જૂન અમદાવાદમાં સર્જાયેલી કારમી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રવાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 265થી જિંદગી હોમાઇ ગઇ. જેમાં વિજય રૂપાણીએ જિંદગી ગુમાવી છે. તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઇ રહ્યાં હતા. તેમના નિધનના સમાચારથી ન માત્ર ભાજપમાં પરંતુ સમગ્ર રાજકિય વર્તુળ અને ગુજરાતમાં શોક વ્યાપી ગયો છે. 13 જૂને તેમની પુત્રી અને પત્ની અમદાવાદ પહોંચ્યા હતા આજે તેમનો પુત્ર ઋષભ વહેલી સવારે ગાંધીનગર તેમના નિવાશ સ્થાને પહોંચ્યા હતા. ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપાશે બાદ રાજકોટ રવાના થશે અને તેના માદરે વતનમાં જ અંતિમ વિધિ કરવાનો નિર્ણય લેવાયો છે.         

Latest Stories