/connect-gujarat/media/post_banners/b206cb9923ea20a66828a5041760a0c1816276a83424175c1d30fcfd38517008.jpg)
ભાવનગર ડી.વાઈ.એસ.પી.આર.આર.સીંઘાલ દ્વારા ખેડા જિલ્લામાં થયેલ કેફી આયુર્વેદિક પીણાના સેવનને લઈ થયેલ મૃત્યુને ધ્યાને લઈ શહેરના મેડિકલ સ્ટોરના માલિકો સાથે ચર્ચા કરી હતી
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે. ભાવનગર નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સીંઘાલે શહેરના મેડિકલ સ્ટોર માલિકો , ડોકટરો,પાનના ગલ્લાવાળા સાથે એક ચર્ચા કરી હતી અને જાણ કરી હતી કે આગામી દિવસોમા પોલીસ દ્વારા દ્રાઈવ યોજવામાં આવશે અને જો આ કેફી પીણુ મળી આવશે તો તેમના પર કડક પગલા લેવામાં આવશે.મેડિકલ સ્ટોર એસોસિએશનના પ્રમુખ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી કે આ પ્રકારના કેફી પીણ નુ વેચાણ આમરા વેપારી દ્વારા કરવામાં નહી આવે.