Connect Gujarat
ગુજરાત

ભાવનગર: ઘોઘામાં આવેલા પૌરાણિક પડઘલીયા મહાદેવ મંદિરનો અનેરો મહિમા

આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા અકબંધ, પૌરાણિક પડઘલીયા મહાદેવનો છે અનેરો મહિમા.

X

દેવધી દેવ મહાદેવનો પર્વ એવો શ્રાવણ માસની ચાલી રહ્યો છે. ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામમાં આવેલું વર્ષો જુનું શિવાલય પડઘલીયા મહાદેવનો મહિમા આજે પણ લોકોના હ્રદયમાં અકબંધ બંધાયેલું જોવા મળે છે.

જીવનો શીવ સાથે મિલન કરાવતો શ્રવણ મહિનો ચાલી રહ્યો છે. શિવ મંદિરોમાં શિવજીના શિવલિંગને બીલી પત્રો, પુષ્પો તેમજ અવનવા શણગારથી ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે. વર્ષો જુના પડધલિયા મહાદેવ મંદિર સેંકડો વર્ષો પૂર્વે ભાવનગર પંથક નૈમિષારણ્ય તરીકે પ્રસિદ્ધ હતું. ઋષિઓની તપોભૂમિ તરીકે ભારત વર્ષમા પ્રખ્યાત અરણ્યમાં અનેક ઐતિહાસિક મહત્વ ધરાવતી ઘટનાઓ ઘટી હતી, જે પૈકી ઈશ્વરીય અવતારો સાથે સંકળાયેલી ગાથાઓ અમર ઈતિહાસ બની શાસ્ત્રો-પુરાણોના ઉઝળા પાને અંકિત થઈ છે. જેના આધારે આધુનિક યુગમાં પણ ભાવિક ભકતોમાં શ્રદ્ધા-ભક્તિ અકબંધ રહી છે. આવા જ એક ઉઝળા ઈતિહાસની અમર ગાથા પડધલિયા મહાદેવ સાનિધ્ય સાથે જોડાયેલી છે.

ભાવનગર શહેર થી 27 કિલોમીટર દૂર ઘોઘા તાલુકામાં કોળીયાક ગામથી આગળ હાથબ ગામ આવેલું છે. જે પુરાતન સમયમાં હિડિંબાવનના નામે ઓળખવામાં આવતું હતું. આ ગામની સીમમાં આશરે દસ હજાર વર્ષ પહેલાં ભગવાન શિવલિંગ સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ થયા હતાં અને દિન દુઃખીયાના કષ્ટ દૂર કરી નિર્ભય કરતાં હતા. આ શિવલિંગ સોમનાથ મહાદેવની આબેહૂબ પ્રતિતિ કરાવે છે. દર બાર વર્ષે પડઘલીયા મહાદેવની શિવલિંગ પરથી આપમેળે પડ ઉતરે છે આથી આ મહાદેવનું નામ પડઘલીયા મહાદેવ પડ્યું છે. વર્તમાન કોરોનાની મહામારીમાં પણ લોકોની આસ્થા-ભક્તિને આંચ આવી નથી. શિવભક્તોનો પ્રવાહ અકબંધ છે અને શ્રધ્ધાળુઓ દૂર-દૂરથી પવિત્ર શ્રાવણ માસમાં દર્શન, પૂજન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે તો બીજી તરફ મંદિરના સંચાલકો પણ સોશ્યલ ડીસ્ટન્સ સાથે ભક્તોને યોગ્ય વ્યવસ્થા ગોઠવી આપે છે.

Next Story