ભાવનગર : મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 450 ટન કચરાનો કર્યો નિકાલ...

હાલ દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
ભાવનગર : મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું, 450 ટન કચરાનો કર્યો નિકાલ...

હાલ દેશભરમાં ચાલી રહેલ સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભાવનગર શહેરમાં સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓએ જોડાય અંદાજે 450 ટન કચરાનો નિકાલ કર્યો હતો.

સમગ્ર દેશમાં ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગરમાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ભાવનગર મનપા કમિશનર એન.વી.ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનર મનિષા બ્રહ્મભટ્ટ, ફાલ્ગુન એમ શાહ, મનીષા પટેલ, સીટી એન્જિનિયર દેવ મોરારી સહિતનો કાફલો સ્વચ્છતા ઝુંબેશ માં જોડાયો હતો. જેમાં આજરોજ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ ચિત્રા ફુલસર રોડ પર સફાઈ હાથ ધરી હતી તેમજ ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લા છ દિવસમાં મહાનગરપાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ નારી ચોકડી, આધેવાડા, જુના બંદર રોડ ઉપરનો એન્ટ્રી પોઇન્ટ કુંભારવાડા સહિત ચારથી ચાર પોઇન્ટ વચ્ચે સફાઈ કરીને અંદાજે 450 રન જેટલો કચરો લગભગ બે થી અઢી કિલોમીટર લંબાઈના રોડ ઉપરથી એકઠો કર્યો હતો. ત્યારે સવાલ એ છે કે જો સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજવામાંનો ન આવ્યો હોત તો શહેરના પ્રવેશદ્વાર કચરાને ઢગ સમાન બની ગયા હોત.

Read the Next Article

રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની કરાઇ આગાહી, એક સાથે ત્રણ સિસ્ટમ થઈ સક્રિય

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે

New Update
rain varsad

ગુજરાત પર વરસાદ લાવતી એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી હાલ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. દક્ષિણ સહિતના કેટલાક વિસ્તારને છોડીને ધીમી ધારે ખેતીના પાકને અનુકૂળ વરસાદ વરસતાં ખેડૂતો ખુશખુશાલ છે.

હવામાન વિભાગે  રાજ્યમાં પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.  આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, દ્વારકા, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.  સાબરકાંઠા, અરવલ્લી,મહીસાગરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. દાહોદ, પંચમહાલ, નવસારીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. દમણ, દાદરા અને નગરહવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે    સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે.  નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.