ભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ

ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભાવનગર : સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે યોજાય છ ગાઉની પરિક્રમા, જૈન સમાજના બંધુઓની ઉપસ્થિતિ

ભાવનગરના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણા ખાતે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં જૈન સમાજના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર ફાગણ સુદ તેરસે અચલ ગચ્છ કચ્છી જૈન સમાજ દ્વારા છ ગાઉ પરિક્રમા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા તા. 23 માર્ચ શનિવારના રોજ વિધિવત જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે પાલીતાણા તળેટીથી પરિક્રમા પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ છ ગાઉની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા કરતા જોવાનો પણ અનેરો લ્હાવો પ્રાપ્ત થયો હતો.

Read the Next Article

હવામાન વિભાગ આગાહી રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી, 3 વરસાદી સિસ્ટમ થઈ સક્રિયા

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે

New Update
heavy rain inindia

ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સારો વરસાદ થવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં કુલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યભરમાં ચોમાસું જોર પકડશે.

આ સિસ્ટમ્સમાં બિકાનેરથી બંગાળની ખાડી તરફ પસાર થતી એક ટ્રફ લાઇન, દક્ષિણ રાજસ્થાન તરફથી બંગાળની ખાડીમાં પસાર થતી બીજી ટ્રફ લાઇન અને એક સક્રિય થયેલું સાઇક્લોનિક સર્ક્યુલેશનનો સમાવેશ થાય છે, જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, અને તંત્ર તથા લોકોને વિશેષ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

ઉપરોક્ત જિલ્લાઓ ઉપરાંત, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારો માટે 'યેલો એલર્ટ' જારી કરાયું છે, અને લોકોને સાવચેત રહેવા તથા બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાઈ છે.

Latest Stories