/connect-gujarat/media/post_banners/000de017e068698cfc956b71a355304ff42ee382281041059389caf805921395.jpg)
ભાવનગરમાં યોજાયો કાર્યક્રમ
રાજયપાલ આચાર્ય દેવવ્રત રહ્યા ઉપસ્થિત
પી.એમ.સુરજ પોર્ટલનું લૉન્ચિંગ
અનેક આગેવાનોએ પણ આપી હાજરી
સરકારી યોજનાઓનો લાભ લેવા રાજ્યપાલની અપીલ
ભાવનગર યશવંતરાય નાટ્યગૃહ ખાતે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતમાં પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અંને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલના લૉન્ચિંગ કરવામાં આવ્યું હતુ PM - SURAJ પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભાવનગરમાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવનગર ખાતે કહ્યું હતું કે, ગંદકી સાફ કરવી એ પરમ પવિત્રતાનું કામ છે, ગંદકી સાફ કરનારાં લોકો નાના માણસો નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી PM - SURAJ (પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અંને રોજગાર આધારિત જનકલ્યાણ) પોર્ટલના લૉન્ચિંગ પ્રસંગે આજે ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
આજના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઈન સંબોધન કર્યુ હતું.રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે. ભાવનગર સંતો, કવિઓ, લેખકો અને કલાકારોની ભૂમિ છે, તેથી આ ભૂમિ પ્રેરણાનગરી છે. જે લોકો માટે અત્યાર સુધી બહુ વિચારાયું નથી તેવાં લોકોના ઉત્થાન માટેનો આ કાર્યક્રમ છે. ગંદકી ફેલાવે તેમને મોટા અને ગંદકી સાફ કરનારાઓને નાના માણસો ગણવામાં આવે છે. ખરા અર્થમાં ગંદકી સાફ કરાવી એ પરમ પવિત્રતાનું કામ છે. ગાંધીજી પણ આ જ બાબતના હિમાયતી હતા.