ભાવનગર: રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતી બે મહિલા સહિત ચાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ

એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

New Update
ભાવનગર: રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતી બે મહિલા સહિત ચાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ

ભાવનગર શહેરમાં રહેતી બે મહિલા સહિત ત્રણ શખ્સો મુંબઇથી ખાનગી ટ્રાવેલ્સમાં બેસી મસમોટો ડ્રગ્સનો જથ્થો ભાવનગરમાં ઘુસાડવાના ફિરાકમાં હોવાની બાતમી રાહે એસ.ઓ.જી. પોલીસે પાનવાડી નજીક વોચમાં રહેતા એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ભાવનગર શહેરના પાનવાડી ચોક પાસે વોચમાં રહીને પસાર થઈ રહેલી રીક્ષા નં.જી.જે.04-એ.યુ.4824 ને અટકાવી રીક્ષાની અંદરએક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બેઠેલા ચાલક ઈબ્રાહીમ હુસેનભાઇ સિદ્દી તેમજ પાછળની સીટ પર બેસેલા કનીઝફાતેમા ઉર્ફે સુમયા હસનમીયા સૈયદ, સના મોહસીનખાન રોહિલા અને રાહીલ ઉર્ફે સહેજાદ અબ્દુલભાઈ ડેરૈયાની પૂછપરછ કરતા બંને મહિલાઓ પાસેથી એમડી ડ્રગ્સ 339.39 મિલીગ્રામ જેની કિંમત રૂ.33,93,700/- મળી આવતા તમામને એસ.ઓ.જી. શાખાએ લઈ જવામાં આવ્યા હતા. એસ.ઓ.જી પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ, મોબાઈલ નંગ-5, રોકડા રૂ.950/- અને અતુલ રીક્ષા મળી કુલ રૂ.34,80,150/- ના મુદ્દામાલ સાથે તમામની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની કરાઇ બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

New Update
રાજયમાં આઇએએસ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  

આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 

જ્યારે  એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.  શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે.  એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે.  રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે.  મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે.  આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે.  તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.  

રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે.  ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે.  નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે. 

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ  તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.