Connect Gujarat
ગુજરાત

ભાવનગર : રખડતાં ઢોરોને પાંજરે પુરવાની તૈયારીઓ શરૂ, વધુ એક ઢોર ડબ્બો બનશે

ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.

X

ભાવનગરમાં રખડતા ઢોરના વધી રહેલાં ત્રાસમાંથી શહેરીજનોને મુકિત અપાવવા માટે મહાનગર પાલિકાએ તૈયારીઓ આદરી છે.

રાજયભરમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળતો હોય છે અને તેમાંથી ભાવનગર પણ બાકાત નથી. ભાવનગરના રસ્તાઓ પર તમને રખડતા પશુઓ જોવા મળી જ જશે. રસ્તાઓ પર અડીંગો જમાવી બેસી રહેતાં પશુઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે ત્રાસરૂપ બન્યાં છે. ખાસ કરીને જયારે આખલાઓ બાખડે છે ત્યારે આસપાસના રહીશો અને વાહનચાલકોના જીવ તાળવે ચોટી જાય છે. મહાનગર પાલિકાનો દાવો છે કે અત્યાર સુધીમાં એક હજાર કરતાં વધારે રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં પુરી દેવાયાં છે. તેમને બાલા હનુમાન અને અખિલેશ સર્કલ પાસેના ઢોર ડબ્બામાં રખાયાં છે. મહાનગરપાલિકાએ ભલે કામગીરી કરી હોય પણ રખડતા ઢોરોનો ત્રાસ હજી યથાવત છે. રખડતા પશુઓને રાખવા માટે સીડદર નજીક વધુ એક ઢોર ડબ્બો બની રહયો છે.

ભાવનગર મહાનગરપાલિકા ભલે નવો ઢોર ડબ્બો બનાવી રહી હોય પણ શહેરમાં તમે ભ્રમણ કરો એટલે ઠેર ઠેર રખડતા ઢોર જોવા મળશે જ.. થોડા દિવસો પહેલાં જ પાનવાડી ચોકમાં બે આખલાઓ બાખડતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. શહેરના માર્ગોને રખડતા પશુઓથી મુકત બનાવવા મહાનગરપાલિકાએ નકકર કાર્યવાહી કરવી જ પડશે નહિતર અનેક લોકો જીવ ગુમાવશે અથવા હોસ્પિટલ ભેગા થશે.

Next Story