ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી

New Update
ભાવનગર : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બન્યા ભાવેણાના મહેમાન, રામ કથાકાર મોરારી બાપુ સાથે કર્યો સંવાદ

ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભાવનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ પ્રથમ મહુવા ખાતે પ્રસિદ્ધ રામ કથાકાર સંત મોરારી બાપુ સાથે મુલાકાત કરી હતી, તારબાદ તેઓ કૈલાશ ગુરુકુળ ખાતે વિશ્રામ માટે પહોચ્યા હતા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારના રોજ ભાવનગર જિલ્લાના 2 દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા હતા. ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા એરપોર્ટ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, મેયર કીર્તિ દાણીધારીયા, સાંસદ ડો. ભારતી શિયાળ, જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌરે ઉષ્મા સભર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ એરફોર્સના વિશેષ હેલિકોપ્ટર મારફતે મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે જવા રવાના થયા હતા. જ્યા વિશેષ વાહન દ્વારા તેઓ પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટ ધામ પહોંચ્યા હતા. આશ્રમ બહાર રાષ્ટ્રપતિના આગમનની પ્રતિક્ષા કરી રહેલા લોકોને જોઈ તેઓએ આશ્રમની બહાર જ ગાડી થોભાવી દીધી હતી અને પ્રોટોકોલ તોડી ગાડીમાંથી નીચે ઉતરી લોકોના અભિવાદન ઝીલ્યા હતા. જ્યા સંત મોરારી બાપુએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ચિત્રકૂટ ધામના વિશેષ હોલમાં રાષ્ટ્રપતિએ મોરારી બાપુ સાથે એક કલાક સુધી સંવાદ કર્યો હતો. ત્યારબાદ તેઓ કૈલાશ ગુરુકુળ જવા રવાના થયા હતા. જ્યાં વિશ્રામ કર્યા બાદ તેઓ ભાવનગર જવા પ્રસ્થાન કર્યું હતું.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું રૂટનું નિરીક્ષણ...

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના

New Update

તા. 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા

દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રાની તડામાર તૈયારી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નેત્રોત્સવ વિધિમાં સહભાગી થયા

16 કિમીના રૂટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂટ પેટ્રોલિંગ

રથયાત્રાના રૂટ ઉપર સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરાય

 અમદાવાદમાં આગામી તા. 27 જૂન-2025ના યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને 2 દિવસ બાકી છેત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નેત્રોત્સવ વિધિ બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે રાજ્ય પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર પણ જોડાયા હતા. પોલીસ અધિકારીઓ સાથે ગૃહ રાજ્યમંત્રીએ 16 કિમીના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ સાથે જ રથયાત્રા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્તની સમીક્ષા કરી હતી. આ અવસરે જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા સહિત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંત્યારે હાલ તો દેશમાં બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.