Connect Gujarat
ગુજરાત

ભાવનગર: સી.એમ.ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો સ્નેહમિલન સમારોહ

ભાવનગર શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન

X

ભાવનગર શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

ભાવનગર ખાતે યોજાયેલ ભાજપ સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા. અહીં તેમને કોઈ રાજકીય વાતો કરવાના બદલે પોતાની 12 મિનિટની સ્પીચમાં કાર્યકરોને હસી મજાક કરાવી હતી. તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો વિચારે છે કે, તેમનો પણ વારો મારી રીતે આવી જાય પણ હું કહું છે કે, સારો કાર્યકર હોય તે સારો નેતા બની શકે છે. તેમણે કાર્યકરોને ટકોર કરતાં કહ્યું હતું કે, તમને અમારા સુધી પહોંચવા અમે સરળ રસ્તો બનાવી દીધો છે. સોમવાર અને મંગળવારે તમે અમને મળવા આવી શકો છો. મુખ્યમંત્રીએ આ સમયે ઉત્સાહમાં આવીને વિવાદાસ્પદ વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તમે ગમે તેને લાવો અને ગમે તેવું કામ લાવો અમારા દરવાજા ખુલ્લા છે.

Next Story