ભાવનગર : ગઢેચી નદીના પ્રોજેક્ટમાં અડચણરૂપ 204 મકાનોને TDOની નોટીસ…
ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
BY Connect Gujarat Desk20 Oct 2023 9:50 AM GMT
X
Connect Gujarat Desk20 Oct 2023 9:50 AM GMT
ભાવનગર શહેરમાં ગંદકીના ઉપદ્રવથી વહેતી ગઢેચી નદીને શુદ્ધ કરવામાં આવનાર છે, ત્યારે આ પ્રોજેકટના કામમાં અડચણરૂપ દબાણો દૂર કરવા મહાનગરપાલિકાએ 204 મકાનોને નોટીસ પાઠવી છે.
ભાવનગર શહેરમાં વિકાસના કામોમાં ઉત્તરોઉતર પ્રગતિ થઈ રહી છે, ત્યારે ભાવનગર શહેરમાં ગંદકીના ઉપદ્રવથી વહેતી ગઢેચી નદીને પણ શુદ્ધ કરી રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવનાર છે. જે પ્રોજેકટના કામમાં અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ભાવનગર મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા વધુ 204 મિલકત ધારકોને BMC એક્ટ 260 મુજબની નોટીસ પાઠવવામાં આવી હતી, જ્યારે અગાઉ 542 મિલકતોને નોટીસ આપ્યા બાદ 122 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
Next Story