ભાવનગર: કમિશ્નર અચાનક જ પહોંચ્યા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે, અધિકારીઓએ થયા દોડતા

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર વહેલી સવારે આનંદ નગર વિસ્તારમાં દબાણ હટાવવા માટે નીકળ્યા હતા

New Update
ભાવનગર: કમિશ્નર અચાનક જ પહોંચ્યા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે, અધિકારીઓએ થયા દોડતા

ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર વહેલી સવારે આનંદ નગર વિસ્તારમાં દબાણ હટાવવા માટે નીકળ્યા હતા ત્યારે અચાનક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા આરોગ્ય કેન્દ્ર ઊંઘતું ઝડપાઈ ગયું હતું

ભાવનગર શહેરમાં કમિશનર એન.વી.ઉપાધ્યાય છેલ્લા એક મહિનાથી વહેલી સવારમાં દબાણ હટાવો કામગીરી કરી રહ્યા છે ત્યારે એક માસ બાદ દબાણ હટાવો કામગીરીની સાથે અન્ય વિભાગોના પણ પ્રશ્નોને નજર સમક્ષ નિહાળીને સમસ્યા હલ કરવાની કોશિશ કરે છે ત્યારે આનંદ નગરમાં દબાણ હટાવવા માટે નીકળેલા કમિશનરના ધ્યાને આરોગ્ય કેન્દ્ર નજરે ચડ્યું હતું આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લેતા હાજર કોઈ નહીં મળી આવતા આરોગ્ય વિભાગ ઊંઘતું ઝડપાઈ ગયું હતું.આનંદ નગરના આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગનો સ્ટાફ હાજર નહોતો.સ્થળ પર રંગે હાથ ઝડપાયેલા આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને લઈને જબરી કમિશનર એમ.આર.બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે મોડા આવતા અને 9:30 સુધી આરોગ્ય કેન્દ્રમાં હાજર નહીં રહેતા લોકોને નોટિસ પાઠવવામાં આવશે અને દરેક પાસે ખુલાસો મંગાવવામાં આવશે જોકે આરોગ્ય કેન્દ્ર ઉપર બેદરકારી સામે આવતા આરોગ્ય અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને મામલે સમીક્ષા કરીને આગળના શું પગલાં લઈ શકાય તેના માટે ચર્ચા વિચારણા કરાશે

Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.