ભાવનગર: વરતેજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
ભાવનગર: વરતેજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીની કરી ધરપકડ

ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલી કે જૈન દેરાસર પાસે નાસ્તાની લારી ચલાવતા દિલીપભાઈ ત્રીવેદી પોતાની પાસે ભારતીય બનાવટી દારૂનું વેચાણ કરવા માટે પોતાના કબ્જામાં રાખીને વેચાણ કરે છે જે તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટી બોટલ નંગ 87 જેની કિંમત રૂપિયા 28,600 તથા બીયર નંગ 310 જેની કિંમત રૂપિયા 32,860 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે ટોટલ કિંમત રૂપિયા 61460નો મુદ્દા માલ સાથે બે વ્યક્તિને ધરપકડ કરી હતી અને તમામ મુદ્દામાલ કબજામાં લઈને વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Read the Next Article

અંકલેશ્વર: ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી રૂ.75 લાખના ખર્ચે બનાવાયેલ આઇકોનીક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ

રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કરાયુ છે નિર્માણ

  • રૂ.75 લાખના ખર્ચે આઇકોનીક રોડનું નિર્માણ

  • રોડની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લખાયો પત્ર

  • કોન્ટ્રાકટરને ચુકવણું ન કરવા માંગ

અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી બનાવેલ આઇકોનિક રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા દ્વારા ચીફ ઓફિસરને પત્ર લખી કોન્ટ્રાક્ટરનું બાકીનું પેમેન્ટ સ્ટોપ કરવાની માંગ કરવામાં આવી છે
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા રૂપિયા 75 લાખના ખર્ચે શહેરના ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધી નિર્મળ પથ રોડ એટલે કે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે રોડની કામગીરીમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ વિરોધ પક્ષના નેતા જહાંગીર પઠાણ દ્વારા કરવામાં આવ્યા છે અને તેઓ દ્વારા નગર સેવાસદનના ચીફ ઓફિસરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં જણાવ્યા અનુસાર રોડની કામગીરી અધુરી હોવા છતાં કમ્પલીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત રોડ પર સ્ટ્રીટ લાઇટના કેબલને કવર કરવામાં આવ્યા નથી જેનાથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે. સાથે જ બ્લોકની કામગીરી પણ આડેધડ કરવામાં આવી છે જેનાથી ફૂટપાથ પર જતા લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ મોટાભાગની લાઈટ પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે હવે પછી કોઈપણ બિલની પ્રક્રિયા કે ચુકવણું ના કરવાની વિરોધ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે. આ અંગે નગર સેવાસદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતનો સંપર્ક કરતા તેઓ તેઓએ કામમાં હોવાનું જણાવી હાલ આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
Latest Stories