ભાવનગર : સોલાર ડ્રાયરની મદદથી મહિલાઓ બની આત્મનિર્ભર,સૌર ઉર્જાથી આર્થિક રીતે બન્યા સશક્ત

મોટાખોખરા ગામમાં સોલાર ડ્રાયરની મદદથી શાકભાજીને સૂકવીને તેનું પાવડરમાં રૂપાંતરિત કરીને યોગ્ય પેકિંગ બાદ તેને બજારમાં વેચીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની

New Update
  • મોટા ખોખરાની મહિલાઓ બની આત્મનિર્ભર

  • સોલાર ડ્રાયર બન્યું મહિલાઓ માટે પગભર થવાનું સાધન

  • શાકભાજી સૂકવીને પાવડર બનાવી બજારમાં વેચાય છે

  • મહિલાઓ સૌર ઉર્જાની મદદથી બની આર્થિક રીતે સશક્ત

  • નાબાર્ડે યોજના માટે કરી છે નાણાંકીય સહાય

ભાવનગરના મોટા ખોખરા ગામની મહિલાઓ સૌર ઉર્જાથી ચાલતા સોલાર ડ્રાયરની મદદથી આત્મનિર્ભર બની છે.શાકભાજીને સૂકવીને તેનું પાવડરમાં રૂપાંતરિત કરીને યોગ્ય પેકિંગ બાદ તેને બજારમાં વેચીને મહિલાઓ આર્થિક રીતે પગભર બની છે.

ભાવનગર જિલ્લાના મોટાખોખરા ગામમાં મહિલાઓ એક ભાગીદાર કંપની સાથે મળીને કૃષિ ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરી રહી છે. મહિલાઓ ટામેટાડુંગળી અને મેથીના પાન સહિત ઘણા પાકને સોલાર ડ્રાયરની મદદથી સૂકવે છે.અને પછી તેને પાવડરમાં રૂપાંતરિત કરી પેક કરીને બજારમાં વેચવામાં આવે છે. આનાથી પાકનું મૂલ્ય વધે છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે.

આ સોલર ડ્રાયરની ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંકનાબાર્ડ અને સ્થાનિક ખેડૂતોએ મળીને એક નવી શરૂઆત કરી છે. નાબાર્ડ તરફથી આ યોજના માટે નાણાંકીય સહાય આપવામાં આવી છે.

આ યોજના શરૂ કરતા પહેલા સૌપ્રથમ ગામના ખેડૂતોને સોલર ડ્રાયર ચલાવવા માટે તાલીમ આપવામાં આવી હતી. તેમને પાકને સૂકવવાની અને પછી તેને પેક કરવાની પદ્ધતિઓ સાથે માર્કેટિંગ શીખવવામાં આવ્યું હતું.આ મહિલા ખેડૂતો સતત તેમના જીવનમાં આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બની રહી છે.

સૌર ઉર્જાના આધારે ચાલતું આ સોલર ડ્રાયર મહિલાઓ માટે માત્ર આવકનું સ્ત્રોત નથીપણ આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી દિશા પ્રદાન કરનાર સાબિત થયું છે.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.