Connect Gujarat
ગુજરાત

"ભાવોત્સવ-2022" : ભાવનગરના 300મા સ્થાપના દિવસની કરાશે ભવ્ય ઉજવણી...

ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.

X

ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લાના 300મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આ અવસરે ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022નું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે "ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022"નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન ભાવનગરના 300મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પ્રખ્યાત કલાકારોના રંગદર્શી કાર્યક્રમ યોજાશે, જેમાં વિશેષરૂપે 700 તિરંગાઓ સાથેની પદયાત્રા, વોલ પેઇન્ટિંગ, રંગોળી સ્પર્ધા અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. આ પ્રસંગે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના હોવાનું જાણવા મળ્યું છે.

Next Story