છોટાઉદેપુર : પાનવડના સિંગલા વાવ પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહનચાલકોને હાલાકી..!

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે.

New Update
છોટાઉદેપુર : પાનવડના સિંગલા વાવ પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહનચાલકોને હાલાકી..!

છોટાઉદેપુર જિલ્લાના પાનવડ તાલુકાના સિંગલા વાવ પાટીયા નજીક સ્ટેટ હાઇવે પર 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે. આ નાળુ તૂટી પડતાં કવાંટ તરફ જતા કે, કવાંટથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, આ નાળામાં ભંગાણ સર્જાવા સાથે મોટા મોટા ગાબડાં પડી ગયા છે. તો એક છેડેથી બીજા છેડા સુધી સમગ્ર રોડ બેસી ગયો છે. હાલ ત્યાંથી સાવચેતી પૂર્વક વાહનો પસાર થઈ રહ્યા છે. પરંતુ નાળુ તૂટવાના કારણે હાઇવે પર અવર-જવર કરતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો બીજી તરફ, માર્ગ પર મોટું ગાબડું પડતાં ભ્રષ્ટાચારનું ગાબડું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જોકે, માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ હાઇવે ઓથોરીટીના અધિકારીઓ ઘટનાની ગંભીતાને ધ્યાને લઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હંગામી ધોરણે મરામતની કામગરી શરૂ કરાવી હતી. આ સાથે જ એક-બે દિવસમાં પાઇપ નાળું બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.