છોટાઉદેપુર : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કમલમ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું...

છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું

New Update
છોટાઉદેપુર : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કમલમ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું...

આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલો જીલ્લો છે, ત્યારે જીલ્લા મથક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક કાર્યકર તેમજ જનતાને તકલીફ ન પડે તે માટે જીલ્લા મથક ખાતે જિલ્લા ભાજપ કાર્યલય કમલમનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતુ કે, ટૂંક સમયમાં કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઇ જશે અને દરેક નાગરીકને સુવિધાનો લાભ મળશે.

જીલ્લાના મતદારોએ જ્યાં કોંગ્રેસ જીતતી હતી, ત્યાં ભાજપના ત્રણેય ઉમેદવારોને જીતાડી ભાજપામાં વિશ્વાસ રાખ્યો છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં 400ની પાર ભાજપાની સીટો આવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો. આ પ્રસંગે મધ્ય ગુજરાત પ્રભારી ગોરધન ઝડફિયા, જીલ્લા પ્રભારી, જીલ્લા ભાજપ પ્રમુખ, ભાજપા જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, પેજ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.