કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે

New Update
કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ…

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા, બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહે તેવી ભાવના સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.