/connect-gujarat/media/post_banners/6b50d7ea392e11c6dbdd76d372da008a8940ec780ec1ecf09a42705deba07d2f.webp)
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ)ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા, બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહે તેવી ભાવના સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવની સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.